નવી દિલ્હી: દિલ્હી મહાનગરપાલિકા (MCD)ની મેયરની ચૂંટણી યોજાઇ રહી છે. સિવિક સેન્ટરમાં ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતીના 6 સભ્યોની પસંદગી પણ કરવામાં આવશે, જેને લઇને મહાનગરપાલિકાની કાર્યવાહી ચાલી રહી છે. આ દરમિયાન સિવિક સેન્ટરમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ઝઘડ્યા હતા અને મારા મારી પર ઉતરી આવ્યા હતા.
Advertisement
Advertisement
આમ આદમી પાર્ટી તરફથી કાઉન્સિલર મુકેશ ગોયલે આપત્તિ વ્યક્ત કરી કે સૌથી પહેલા ચૂંટાયેલાઓના શપથ લેવડાવવા જોઇએ મનોનીતના નહી. ચૂંટણી અધિકારી સત્યા શર્મા સૌથી પહેલા મનોનીત કોર્પોરેટરના શપથ લેવડાવવાની જાહેરાત કરે છે. ભાજપ કોર્પોરેટર સત્યા શર્મા ચૂંટણી અધિકારી બનીને સદનની કાર્યવાહી શરૂ કરાવી રહ્યા છે.
274 લોકો મતદાન કરશે
250 ચૂંટાયેલા કોર્પોરેટર મતદાન કરશે. સાથે જ દિલ્હીના લોકસભાના 7 સાંસદ, 3 રાજ્યસભા સાંસદ અને મનોનીત લોકોમાં 14 ધારાસભ્ય જે દિલ્હી વિધાનસભાના અધ્યક્ષની સહમતિ પર બનાવવામાં આવ્યા છે તે પણ મતદાનમાં ભાગ લેશએ. કુલ મળીને આ ચૂંટણીમાં 274 લોકો વોટર હશે.
AAPએ 134 વોર્ડમાં જીત મેળવી હતી
દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં 250 વોર્ડમાં યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 15 વર્ષથી દિલ્હી મહાનગરપાલિકામાં રહેલી ભાજપને હરાવીને 134 વોર્ડમાં જીત મેળવી હતી. સાથે જ ભાજપને આ ચૂંટણીમાં 104 વોર્ડમાં જીત મળી છે.
ચૂંટણીમાં કોંગ્રેસ ભાગ નહી લે
કોંગ્રેસે આ ચૂંટણીમાં ભાગ ના લેવાની જાહેરાત કરી છે. દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અનિલ કુમારે કહ્યુ કે દિલ્હીની જનતાએ ભાજપ અને આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યુ છે, જેનું સમ્માન કરતા પાર્ટી મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતીની ચૂંટણીમાં અંતર જાળવશે. અનિલ કુમારે કહ્યુ કે દિલ્હીની જનતાએ કેજરીવાલની પાર્ટીને બહુમત આપ્યો છે તો કેજરીવાલ પોતાનો મેયર બનાવે અને દિલ્હીની જનતાની સેવા કરે.
દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસના 9 કોર્પોરેટર ચૂંટાયા છે. કોંગ્રેસે નાજિયા દાનિશને એમસીડીમાં કોંગ્રેસ દળના નેતા, શીતલને ઉપનેતા અને શગુફ્તા ચૌધરીને મહાનગરપાલિકામાં કોંગ્રેસ પાર્ટીના ચીફ વિપ નિયુક્ત કર્યા છે.
Advertisement