રાયપુર: કોંગ્રેસ પાર્ટીએ નવા રાયપુરમાં ત્રણ દિવસ સુધી ચાલેલા મહાઅધિવેશનની સમાપ્તી સાથે આ ચર્ચા શરૂ થઇ ગઇ છે કે શું 2023ની વિધાનસભા અને 2024 લોકસભા ચૂંટણીનો રોડમેપ તૈયાર થઇ ગયો છે?
Advertisement
Advertisement
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ અધિવેશનમાં ‘ઘરે ના હોવા’ના રૂપકના બહાને એક તરફ રસ્તા પરની લડાઇ ચાલુ રાખવાના સંકેત આપ્યા હતા જ્યારે પોતાના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્યક્તિગત ઇમેજ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રવાદ પર નિશાન સાધ્યુ હતુ.
રાહુલ ગાંધીએ કહ્યુ, “અદાણીજી અને મોદીજી એક છે અને દેશનું પુરે પુરૂ ધન, એક વ્યક્તિના હાથમાં જઇ રહ્યું છે.”
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રવાદ પર પણ રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યા હતા અને વિદેશ મંત્રી એસ જયશંકરનું નામ લીધા વગર કહ્યુ, “તે કહે છે કે ચીનની અર્થવ્યવસ્થા, ભારતની અર્થવ્યવસ્થાથી મોટી છે તો અમે તેમની સામે કેવી રીતે લડી શકીએ છીએ? જ્યારે અંગ્રેજ અમારી પર રાઝ કરતા હતા તો શું તેમની ઇકોનોમી અમારી ઇકોનોમીથી નાની હતી?” આ અધિવેશનમાં સોનિયા ગાંધીએ ભારત જોડો યાત્રાને પોતાના કાર્યકાળની સિદ્ધિ ગણાવતા તેને કોંગ્રેસ માટે એક મહત્વપૂર્ણ વળાંક ગણાવ્યો હતો.
અધિવેશનમાં કોંગ્રેસે પૂર્વથી પશ્ચિમ સુધી ભારત જોડો યાત્રા 2 શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આખા દેશમાં પાર્ટી હાથ સે હાથ જોડો અભિયાન ચલાવશે. કોંગ્રેસ પાર્ટીના અધિવેશનમાં ભારતીયતા અને સંઘર્ષ, સેવા અને બલિદાન સૌથી આગળ હિન્દુસ્તાન જેવા નારાને ભાજપના હિન્દુત્વના જવાબની જેમ જોવામાં આવી રહ્યો છે પરંતુ તમામ સ્તરો પર એસસી, એસટી, ઓબીસી, મહિલા, લઘુમતી અને 50 વર્ષથી નાની ઉંમરના નેતાઓને 50 ટકા પ્રતિનિધિત્વ આપવાના નિર્ણયે સૌનું ધ્યાન પોતાની તરફ ખેચ્યુ છે.
50 ટકા અનામત
પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 50 ટકા અનામતને ઐતિહાસિક નિર્ણય ગણાવતા કહ્યુ કે 2024ની લોકસભા ચૂંટણી અને 2024ની રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં આ પગલાનો ફાયદો મળશે. ખડગે અનુસાર આ નિર્ણયને અમલમાં લાવીને કોંગ્રેસ પાર્ટી ભારતમાં એક નવો ઇતિહાસ રચશે.
કોંગ્રેસ પાર્ટીનું અધિવેશન એવા સમયે થયુ છે જ્યારે આગામી કેટલાક મહિનામાં દેશના છ રાજ્ય મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, કર્ણાટક, મિઝોરમ અને તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.
વિપક્ષી દળોનું ગઠબંધન
કોંગ્રેસ પાર્ટીના અધિવેશનમાં ભારતીય જનતા પાર્ટીનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યુ કે કોંગ્રેસ ભાજપને હરાવવા માટે એક યોગ્ય વિકલ્પ આપવાના ઇરાદાથી સમાન વિચાર ધરાવતા દળો સાથે તાલમેલ બેસાડવા માંગે છે. જે સમયે રાયપુરમાં કોંગ્રેસ પાર્ટીનું અધિવેશન ચાલી રહ્યુ હતુ તે સમયે બિહાર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહ, કોંગ્રેસ હાઇકમાનના આદેશ પર પૂર્ણિયામાં આયોજિત નીતિશ કુમારની મહાગઠબંધન રેલીમાં સામેલ થયા હતા.
નીતિશ કુમારે કહ્યુ, “જો 2024માં યોજાનાર લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી દળ એકજુટ થઇ ગયુ તો ભાજપ ક્યાય જોવા નહી મળે. કોંગ્રેસ પાર્ટી મહાગઠબંધનને લઇને જલ્દી નિર્ણય કરે, જો જલ્દી નહી કરે તો નુકસાન થશે.”
કોંગ્રેસ પાર્ટીની જાહેરાત અને બિહારમાં તેને અમલમાં લાવવાના પ્રયાસો વચ્ચે કોંગ્રેસ નેતા બીકે હરિપ્રસાદે રાષ્ટ્રીય સ્તર પર મહાગઠબંધનને લઇને નીતિશ કુમારને જવાબ આપવાના અંદાજમાં કહ્યુ, “વિપક્ષ ક્યારેય પણ એકજુટ થઇ શકતુ નથી. વિપક્ષી પાર્ટીઓના અલગ અલગ મત રહે છે. જોકે, તેમણે એમ પણ કહ્યુ કે, જ્યા સુધી સાથે ચૂંટણી લડવાની વાત છે તો મત એક રહેશે તો અમે લોકો જરૂર લડીશું.
કોંગ્રેસ શાસિત રાજ્યોનો પડકાર
ગઠબંધનથી અલગ કોંગ્રેસ પાર્ટી સામે પોતાનું ઘર બચાવવાનો પણ પડકાર છે, જે ત્રણ રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીની સરકાર છે, તે રાજ્યની સ્થિતિ કોઇનાથી છુપાયેલી નથી.
છત્તીસગઢમાં કોંગ્રેસ પાર્ટીનો વિવાદ જાણીતો છે. અઢી-અઢી વર્ષના મુખ્યમંત્રીના સવાલ પર ટીએસ સિંહદેવ વિરૂદ્ધ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના નેતૃત્વમાં રાયપુરથી લઇને દિલ્હી સુધી જે રીતના પ્રદર્શન થયા, તેમાં રાહુલ ગાંધીના ચુપ રહેવાને લઇને પણ સવાલ ઉભો થયો છે. હવે તો ટીએસ સિંહદેવને મુખ્યમંત્રી બનાવવાના રાહુલ ગાંધીના દાવા પર ચર્ચા પણ થતી નથી.
આ રીતનું સંકટ રાજસ્થાનમાં પણ છે. અશોક ગહેલોત અને સચિન પાયલોટ, ગત બે વર્ષથી તલવાર ખેચીને એક બીજા વિરૂદ્ધ લડી રહ્યા છે.
હિમાચલ પ્રદેશમાં પણ પ્રતિભા સિંહના મુખ્યમંત્રી બનાવવાના પ્રયાસોને નજરઅંદાજ કરીને સુખવિંદર સિંહ સુકખૂને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. આગામી આઠ મહિનામાં રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને આ આઠ મહિનામાં રાજસ્થાન અને છત્તીસગઢમાં પાર્ટીનું આ સંકટ વધુ ગહેરાઇ શકે છે. કોંગ્રેસે જો આ ગઢ બચાવવો છે તો આ સમસ્યાનું સમાધાન કરવુ પડશે.
કોંગ્રેસના આ અધિવેશનમાં અદાણીની પણ સતત ચર્ચા થતી રહી હતી. અધિવેશનમાં અદાણી ગ્રુપ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સબંધને લઇને કહેવામાં આવ્યું, “આ દેશ વિરૂદ્ધ કામ થઇ રહ્યુ છે અને દેશ વિરૂદ્ધ કામ થશે તો કોંગ્રેસ પાર્ટી ઉભી થઇ જશે અને લડશે.”
Advertisement