ગાંધીનગર: રાજ્યમાં બે શહેરમાં સાંપ્રદાયિક તણાવ ઉભો થયો હતો. ખેડામાં નવરાત્રિના આયોજન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં અડધો ડઝનથી વધારે લોકો ઘાયલ થયા હતા. બીજી તરફ વડોદરાના સાવલીમાં બે પક્ષ આમને સામને આવી ગયા હતા. અહી પણ પથ્થરમારો થયો હતો અને કેટલીક ગાડીઓને નુકસાન પહોચાડવામાં આવ્યુ હતુ. પોલીસે બન્ને પક્ષના 40 લોકોની ધરપકડ કરી હતી.
Advertisement
Advertisement
150થી 200 લોકોના ટોળાએ પથ્થરમારો કર્યો
ખેડાના ઉઢેરામાં ગરબા આયોજન દરમિયાન બીજા સમુદાયના કેટલાક લોકોના વિવાદ બાદ પથ્થરમારો કર્યો હતો જેમાં 6 લોકો ઘાયલ થયા હતા. ખેડામાં કેટલાક લોકો ગરબા કાર્યક્રમમાં ઘુસી આવ્યા હતા અને અહી વિવાદ ઉભો કર્યો હતો. એસપી રાજેશ ગોધિયાએ કહ્યુ, આરિફ અને જાહિર નામના બે વ્યક્તિની આગેવાનીમાં કેટલાક લોકો નવરાત્રિ ગરબા સ્થળે પહોચી ગયા હતા. તે બાદ તેમણે પથ્થરમારો કર્યો હતો. અધિકારીએ કહ્યુ કે ઘટનામાં 6 લોકો ઘાયલ થયા છે. આરોપીની ધરપકડ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તણાવના પગલે વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. રેન્જ આઇજી પણ ઘટનાસ્થળે પહોચ્યા હતા.
વડોદરાના સાવલીમાં ધાર્મિક ઝંડાને લઇને વિવાદ ઉભો થયો હતો. સાવલીના શાકભાજી બજારમાં પથ્થરમારા બાદ ત્રણ ડઝનથી વધારે લોકોને પકડવામાં આવ્યા છે. વડોદરા પોલીસ અનુસાર એક ઇસ્લામિક તહેવાર પહેલા એક ગ્રુપે વિજળીના થાંભલા પર ધાર્મિક ઝંડા લગાવ્યા હતા. અહી પાસે જ મંદિર પણ છે.
અથડામણ તે સમયે થઇ જ્યારે કેટલાક સ્થાનિક લોકો બીજા સમુદાયના લોકોને એણ બતાવવા ગયા કે તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોચી રહી છે. બન્ને પક્ષમાં વિવાદ બાદ પથ્થરમારો થયો હતો. આ દરમિયાન કેટલાક વાહનોને પણ નુકસાન થયુ હતુ. પોલીસે કહ્યુ કે ફરિયાદ નોંધવામાં આવી છે. એક પક્ષના 25 અને બીજા પક્ષના 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સ્થિતિ અત્યારે નિયંત્રણમાં છે.
સુરતના વેસુમાં પણ ગરબામાં વિવાદ થયો હતો. વિધર્મી બાઉન્સરને હટાવવાની માંગ સાથે હોબાળો થયો હતો. બજરંગદળના કાર્યકરોએ ઘટનાસ્થળે પહોચીને વિધર્મી બાઉન્સરને હટાવવાની માંગ કરી હતી જેને કારણે ગરબાને બંધ કરવા પડ્યા હતા. કેટલાક બાઉન્સરો વિધર્મી હોવાનું ધ્યાનમાં આવતા બજરંગદળના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો.
Advertisement