રાજ્યમાં 55 મહિનાથી સીએનજીનું વેચાણ કરતા ડીલરના માર્જિનમાં વધારો ન થતાં પંપમાલિકોએ 3 માર્ચથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ પાડવાની જાહેરાત કરી છે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશને બંધને ટેકો જાહેર કર્યો છે. હડતાળના લીધે અમદાવાદના 70 સહિત રાજ્યના 800 સીએનજી પંપ બંધ રહેશે.
Advertisement
Advertisement
ફેડરેશનના હોદ્દેદારોએ કહ્યું કે, 55 મહિનામાં સીએનજીના દરો અને સંચાલનના ખર્ચમાં વધારો થયો છે. ઓઈલ કંપની ડીલરો પાસેથી સીએનજીના એડવાન્સ બિલ બનાવીને રૂપિયા મગાવે છે. સરકાર સમક્ષ વારંવાર જાણ કરવા છતાં ડીલરોને માર્જિનની રકમ નહીં આપવામાં આવતા હવે અચોક્કસ મુદતની હડતાળ પડાશે. ઓઈલ કંપનીઓ પાસે બાકી નીકળતી 35 કરોડની રકમ ડીલરોને ચૂકવી દેવાય તો હડતાળનો નિર્ણય મોકૂફ રહી શકે છે.
Advertisement