ગાંધીનગર: ગુજરાત પોલીસે મોરબી બ્રિજ દૂર્ઘટનામાં ચાર્જશીટ દાખલ કરી છે અને તેમાં પુલનું સમારકામ કરનારા ઓરેવા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર (MD) જયસુખ પટેલને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
જયસુખ પટેલ ઘટના પછી ગાયબ છે અને ગત અઠવાડિયે જ તેમની ધરપકડ માટે વોરંટ અને લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. ધરપકડની આશંકાને પગલે તેમણે કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલી છે.
શું છે મોરબી પુલ દૂર્ઘટના?
મોરબીમાં 30 ઓક્ટોબર 2022માં મચ્છુ નદી પર બનેલો પૂલ તૂટીને નદીમાં પડ્યો હતો. આ દૂર્ઘટનામાં 141 લોકોના મોત થયા હતા જ્યારે 180 લોકો ઘાયલ થયા હતા. છઠ પુજાના દિવસે પુલ પર વધારે ભીડ ભેગી થઇ હોવાને કારણે કેબલ તૂટી ગયો હતો અને પુલ નદીમાં તૂટી પડ્યો હતો. દૂર્ઘટના સમયે પુલ પર લગભગ 500 લોકો હાજર હતા.
Advertisement