નવી દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહે રાયપુરમાં એક કાર્યક્રમમાં દાવો કર્યો કે “જો છત્તીસગઢમાં નક્સલવાદને ખતમ કરવુ છે, તો સરકાર બદલવી પડશે.”
Advertisement
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 20 વર્ષના સફર પર આધારિત પુસ્તકથી સબંધિત એક કાર્યક્રમમાં ગૃહ મંત્રી અમિત શાહે રાયપુરમાં આ વાત કહી હતી. આ કાર્યક્રમ દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં આયોજિત કરવામાં આવ્યો હતો. પુસ્તકનું નામ મોદી@20 છે. અમિત શાહે આ દરમિયાન પોતાના સંબોધનમાં કહ્યુ, દેશની રાજનીતિ હવે બદલાઇ ગઇ છે. અહી પરિવારવાદ નથી ચાલતો. વડાપ્રધાનના નામ અને કામને આજે આખી દુનિયા અને દેશ જાણે છે.
અમિત શાહે કહ્યુ કે, દેશમાં હવે નક્સલવાદ ખતમ થઇ રહ્યો છે. છત્તીસગઢમાં પણ થશે, માત્ર જરૂરત અહી સરકાર બદલવાની છે. મોદીજીએ દેશને 8 વર્ષ સુધી ભ્રષ્ટાચારવિહીન સરકાર આપી છે. આજ સુધી વિપક્ષ એક વખત પણ અમારી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી શકી નથી.
મોદી@20 પુસ્તક પર સેમિનાર દરમિયાન છત્તીસગઢના પ્રદેશ ભાજપ અધ્યક્ષ સાંસદ અરૂણ સાવે કહ્યુ કે જે રીતની તુલના માટે ઇસા પૂર્વ અને ઇશા પછી ચર્ચા થાય છએ તે રીતે દેશમાં મોદી પહેલા અને મોદીના સત્તામાં આવ્યા બાદ આવેલા પરિવર્તન પર તુલના થાય છે. મોદીજીએ દેશ અને દેશવાસીઓને નવી દિશા આપી છે, તેમના જેવો સાર્વજનિક જીવન કોઇ પણ અન્ય વડાપ્રધાનનો રહ્યો નથી અને તેમણે હંમેશા દેશના વિકાસ અને દેશવાસીઓના કલ્યાણ માટે પ્રયાસ કર્યો છે અને કરતા રહેશે.
રમણ સિંહે પણ આપ્યુ ભાષણ
પૂર્વ મુખ્યમંત્રી તથા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. રમણ સિંહે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને કૃતિત્વ પર કહ્યુ કે અમે તમામ કાર્યકર્તા તેમણે નજીકથી ઓળખીએ છીએ અને મોદીજી તથા અમિત શાહજીની રણનીતિનો ચમત્કાર છે કે 2014 અને 2019માં દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ વિપક્ષમાં નેતા પદ મેળવવાને લાયક પણ નથી રહી. આજે રાજ્યસભામાં ભાજપના સૌથી વધુ સાંસદ છે, મોદીજીએ દેશ અને દેશવાસીઓ માટે જે કર્યુ તે અભૂતપૂર્વ છે.
Advertisement