ગાંધીનગર: 14મી ગુજરાત વિધાનસભાનું અંતિમ બે દિવસીય સત્ર શરૂ થયુ છે. ઢોર નિયંત્રણ બિલ ગૃહમાં સર્વ સમ્મતિથી પરત લેવામાં આવ્યુ છે.
Advertisement
Advertisement
જીતુ વાઘાણીના કોંગ્રેસ પર પ્રહાર
ગુજરાત વિધાનસભા ગૃહમાં વિરોધ બાદ કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. જીતુ વાઘાણીએ કહ્યુ કે, કોંગ્રેસની માનસિકતા નકારાત્મક રહી છે, પ્રજા કોંગ્રેસની વિરોધી થઇ ગઇ છે, કોંગ્રેસ જનતાને ગેરમાર્ગે દોરે છે. વિધાનસભામાં હંગામો કરીને કોંગ્રેસ જનતાને ગેરમાર્ગે દોરે છે. કોંગ્રેસે પોતાની ચિંતા કરવાની જરૂર છે.
વધુમાં જીતુ વાઘાણીએ કહ્યુ કે, કોંગ્રેસ ક્યારેય પ્રજા કે કર્મચારીઓના પ્રશ્નોને લઇને સરકાર પાસે આવી નથી. કોંગ્રેસ ડરી ગઇ છે, કોંગ્રેસને જનતાનું સમર્થન નથી.કોંગ્રેસનો હાથો ન બનવા કર્મચારીઓનો આભાર.
માલધારી સમાજે રસ્તા પર દૂધ રેડ્યુ
માલધારી સમાજ દ્વારા ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. ટેન્કર રોકીને દૂધ રસ્તા પર વહાવવામાં આવ્યુ હતુ. ઢોર નિયંત્રણ બિલ પરત ખેચવાની માંગ સાથે પ્રદર્શન ચાલુ છે, દબાણમાં સરકાર પણ આ કાયદો પરત લઇ શકે છે.
Advertisement