ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં ગુરુવારે પ્રશ્રનકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાળાએ પ્રશ્ર પૂછ્યો હતો કે ગટરની સફાઈ કરનારા શ્રમિકોનું દુર્ઘટનામાં મૃત્યુ થાય તો તેમના પરિવારને સરકાર તરફથી કેટલું વળતર ચૂકવવામાં આવે છે ? તેમના પ્રશ્રના લેખિત જવાબમાં સરકારે જણાવ્યું કે છેલ્લાં બે વર્ષમાં રાજ્યમાં કુલ 11 સફાઈ કર્મચારીઓનું મૃત્યુ થયું છે. તેમાંથી પાંચ પરિવારોને સહાયની રકમ ચૂકવી દેવાઈ છે અને છ સફાઈ કર્મચારીઓના પરિવારને હજુ સહાયની રકમ ચૂકવી શકાઈ નથી.
Advertisement
Advertisement
શ્રમિક દીઠ રૂ.10 લાખની સહાય
સરકારેઈમરાન ખેડાવાળાના પ્રશ્રનો લેખિત જવાબ આપતા જણાવ્યું હતું કે વર્ષ 2021થી 2022 દરમિયાન સાત સફાઈ કર્મચારીઓનું મૃત્યુ થયું છે. તેમાંથી પાંચ પરિવારના સભ્યોને રૂ.50 લાખની સહાય ચૂકવવામાં આવી છે. દરેક મૃતકના પરિવારને રૂ.10 લાખની મદદ કરવામાં આવી છે.
6 સફાઈકર્મીઓના પરિવારને સહાય ચૂકવણી બાકી
સરકારે કહ્યું કે વર્ષ 2021થી 2023 સુધી કુલ 6 સફાઈ કર્મચારીઓના પરિવારોને સહાય ચૂકવવાની બાકી છે. તેમાં પરિવાર દીઠ રૂ. 10 લાખ ચૂકવવાના છે. જ્યારે વર્ષ 2022 અને 2023માં કુલ 4 સફાઈ કર્મચારીઓનું મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું છે. તે લોકોને હજુ સુધી સહાયની રકમ ચૂકવવામાં આવી નથી.
Advertisement