અમદાવાદ: 2002 ગુજરાત રમખાણ પછી પુરાવામાં છેડછાડ કરીને નિર્દોષ લોકોને ફસાવવા અને ગુજરાતને બદનામ કરવાનો કેસ અમદાવાદની સેશન્સ કોર્ટમાં ચાલશે. આ કેસમાં આરોપી તિસ્તા સેતલવાડની અરજી પર મેટ્રોપૉલિટન મેજિસ્ટ્રેટની કોર્ટે કેસની સુનાવણી માટે અમદાવાદના સત્ર ન્યાયાલયને મોકલ્યો છે.
Advertisement
Advertisement
સેતલવાડે કોર્ટ બદલવાનો આગ્રહ કર્યો હતો જેમાં આ કેસમાં સેતલવાડ સિવાય રાજ્યના પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમાર અને પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટ આરોપી છે. અમદાવાદ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય વિરૂદ્ધ ફરિયાદ ગત વર્ષે સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્યને ગુજરાત રમખાણ સાથે જોડાયેલા કેસમાં મળેલી SITની ક્લીનચિટ વિરૂદ્ધ દાખલ અરજીને ફગાવ્યા બાદ દાખલ કરી હતી. તે બાદ આ કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી હતી. SITએ તપાસ પછી 21 સપ્ટેમ્બરે મેટ્રોપૉલિટન કોર્ટમાં આરોપ દાખલ કર્યા હતા.
અમદાવાદ પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ તિસ્તા સેતલવાડ અને શ્રીકુમારની જૂન 2022માં ધરપકડ કરી હતી અને તે આ સમયે જામીન પર છે જ્યારે સંજીવ ભટ્ટ કસ્ટડીમાં મોતના એક કેસમાં પાલનપુરની જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યા છે.
કાયદાકીય જોગવાઈ મુજબ, આજીવન કેદ અથવા સાત વર્ષથી વધુની સજા ધરાવતા તમામ કેસ સેશન્સ કોર્ટમાં ચલાવવામાં આવે છે. આ કેસની સુનાવણી સેશન્સ કોર્ટમાં થશે. 27મી ફેબ્રુઆરીએ તિસ્તા સહિતના આરોપીઓને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
તિસ્તા સેતલવાડ પર શું આરોપ છે?
વિદેશમાંથી ફંડિંગમાં ગોટાળાના આરોપમાં ગુજરાત પોલીસ, સીબીઆઇએ તપાસ પછી 2013માં તિસ્તા સેતલવાડ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. તિસ્તા વિરૂદ્ધ ગુલબર્ગ સોસાયટીના 12 લોકોએ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે મ્યૂઝિયમ બનાવવા માટે ભેગી કરવામાં આવેલી રકમની ઉચાપત કરવાનો આરોપ લગાવ્યો છે. ગુલબર્ગ સોસાયટીમાં સંગ્રહાલય બનાવવા માટે વિદેશી ફંડિગ ભેગુ કરવામાં આવ્યુ હતુ, સ્થાનિક લોકોનો આરોપ છે કે વિદેશી ફંડિગ તેમના સુધી પહોચ્યુ નથી.
આરબી શ્રીકુમાર પર શું આરોપ છે?
નાણાવટી-શાહે કમિશન સમક્ષ નવ એફિડેવિટ દાખલ કરી હતી. મોટાભાગની એફિડેવિટ ઝાકિયા જાફરીની ફરિયાદના આધારે બની હતી. સોગંદનામામાં રજૂ કરાયેલી કોઈપણ વિગતો તેમણે વ્યક્તિગત રીતે પ્રાપ્ત કરી ન હતી. એફિડેવિટ હોદ્દાની રૂ. 3જી એફિડેવિટની વિગતોમાં શ્રીકુમાર અને રાજ્ય સરકારના આરોપ-પ્રત્યારોપ શરૂ થઇ ગયા હતા. શ્રીકુમારે SITને જણાવ્યું કે તેમણે ઘણા મૌખિક આદેશઓ મળ્યા હતા. શ્રીકુમારે દાવો કર્યો હતો કે ઘણા આદેશો ગેરકાયદેસર હતા અને ભારતના બંધારણની ભાવના વિરૂદ્ધ હતા. શ્રીકુમારે 16-4-2002થી 19-09-2002 સુધી મૌખિક સૂચનાઓ રેકોર્ડ કરવા માટેના રજિસ્ટરમાં છેડછાડ કરી આ રજિસ્ટર શ્રીકુમારને તત્કાલીન આઇજીપી ઓપી માથુરે આપ્યુ હતુ.
સંજીવ ભટ્ટ પર શું આરોપ છે?
27-2-2002માં સીએમ આવાસ પર બેઠકમાં સામેલ થવાનો દાવો કર્યો, જોકે, સંજીવ ભટ્ટ બેઠકમાં સામેલ નહતા, તેમણે ખોટો દાવો કરીને ન્યાયમૂર્તિ નાનાવટી અને ન્યાયમૂર્તિ મહેતા આયોગને 20-12-2011માં ફેક્સ કર્યો હતો. SITના રેકોર્ડે સાબિત કરી દીધુ કે આ ફેક્સ મેસેજ મનગઢંત હતો. સંજીવ ભટ્ટે દૂર્ભાવનાથી ખોટી અને છેડછાડ કરેલો ફેક્સ બનાવ્યો હતો અને કાયદાની ગંભીર કલમો હેઠળ વિવિધ વ્યક્તિઓને ખોટા કેસમાં ફસાવવાનો આરોપ લગાવ્યો હતો.
Advertisement