ગાંધીનગર: આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર આરોપ મુક્યો છે કે તે હવે ગુજરાતના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાની પણ ધરપકડ કરાવશે.
Advertisement
Advertisement
કેજરીવાલે ટ્વીટ કરીને લગાવ્યો આરોપ
અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યુ, “જ્યારથી રાઘવ ચઢ્ઢાને ગુજરાતના સહ પ્રભારી નિયુક્ત કર્યા છે અને તેમણે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે જવાનું ચાલુ કર્યુ છે, હવે સાંભળી રહ્યા છીએ કે રાઘવ ચઢ્ઢાની પણ આ લોકો ધરપકડ કરશે. ક્યા કેસમાં કરશે અને શું આરોપ હશે, આ હજુ આ લોકો બનાવી રહ્યા છે.”
जब से राघव चड्ढा को गुजरात का सह प्रभारी नियुक्त किया है और उन्होंने गुजरात में चुनाव प्रचार के लिए जाना चालू किया है, अब सुन रहे हैं कि राघव चड्ढा को भी ये लोग गिरफ़्तार करेंगे। किस केस में करेंगे और क्या आरोप होंगे, ये अभी ये लोग बना रहे हैं
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 30, 2022
કેજરીવાલના સવાલનો કોંગ્રેસે પણ જવાબ આપ્યો હતો અને આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી હતી. કોંગ્રેસના નેશનલ મીડિયા કો ઓર્ડિનેટર શૈલેન્દ્ર ચૌધરીએ જવાબ આપતા ટ્વીટ કર્યુ કે, “સૌથી પહેલા આ જણઆવો અંદરની વાત કેવી રીતે ખબર પડે છે? અમિત શાહની બેઠકમાં આ નક્કી થાય છે કે શું? કેવી રીતે તમાશો ઉભો કરીને જનતાને ગુમરાહ કરવા છે જેથી ભાજપની સરકાર ફરી બની જાય? ભાજપની બી ટીમ.”
રાઘવ ચઢ્ઢાને આમ આદમી પાર્ટીએ ગુજરાતના સહ પ્રભારી બનાવ્યા છે
આમ આદમી પાર્ટીએ રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને પંજાબ પછી ગુજરાતમાં મોટી જવાબદારી સોપી છે. ભાજપના સૌથી મોટા ગઢમાં પડકાર આપવા નીકળેલી આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી પહેલા રાઘવ ચઢ્ઢાને સહ પ્રભારી બનાવ્યા છે. આ પહેલા તે પંજાબમાં પણ પાર્ટીની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી ચુક્યા છે.
Advertisement