નવી દિલ્હી: વર્ષ 2024માં લોકસભા ચૂંટણીને એક વર્ષ કરતાનો વધુ સમય બાકી છે. સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટીમાં બેઠકો, રણનીતિ બનાવવાની તૈયારી શરૂ થઇ ગઇ છે. કહેવામાં આવે છે કે પાર્ટી સરકારથી સંગઠન સુધી મોટા બદલાવની તૈયારી કરી રહી છે. જોકે, 2024 પહેલા ભાજપે 2023માં 9 રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનો સામનો કરવાનો છે.
Advertisement
Advertisement
પહેલા સરકાર
અટકળો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીઓની ટીમમાં ફેરબદલ થઇ શકે છે. કહેવામાં આવે છે કે પીએમ મોદી ત્રણ કારણોને કારણે કેબિનેટમાં ફેરબદલ કરી શકે છે જેમાં સંગઠન અને મંત્રી પરિષદામં જાતીય સમીકરણ સંભાળવા, પ્રદર્શન ના કરનારાઓને બહારનો રસ્તો બતાવવો અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના જૂથના નેતાઓને જોડવાનું સામેલ છે.
કહેવામાં આવે છે કે પીએમ મોદી સરકારના મોર્ચા પર ચૂંટણીની તૈયારી કરી રહ્યુ છે, તેમણે પોતાના તમામ મંત્રીઓના પ્રદર્શનની સમીક્ષા કરી છે. એક નેતાએ કહ્યુ, કેન્દ્ર તરફથી કરવાામં આવેલી પહેલને લાગુ કરવા અને લોકોના જીવન પર તેમના પ્રભાવ મામલે મંત્રાલય અથવા વિભાગના પ્રદર્શનના આધાર પર આકલન કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યુ કે સરકાર અને સંગઠન સ્તર પર બદલાવમાં જાતીય સમીકરણ પણ એક મોટો ફેક્ટર હશે. આ સિવાય ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પ્રદર્શનને પણ ધ્યાનમાં રાખવામાં આવશે.
સંગઠન પણ થઇ રહ્યુ છે તૈયાર
સંગઠન સ્તર પર ભાજપે પહેલા જ વિસ્તારકોની ફૌજ તૈયાર કરી લીધી છે જે 160 એવા સંસદીય વિસ્તારમાં જશે જ્યા તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો અને તેમણે વાપસીની આશા છે. સાથે જ તેમાં તે 9 રાજ્યની સંસદીય બેઠક પણ હશે જે 2024 પહેલા ચૂંટણી યોજાશે. ખાસ વાત આ છે કે ભાજપે પહેલા 140 મુશ્કેલ બેઠકની યાદી બનાવી હતી પરંતુ હાલમાં જ 20 અન્ય નામ તેમાં સામેલ કર્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ત્રિપુરા, મણિપુર, નાગાલેન્ડ, છત્તીસગઢ, ઝારખંડ, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, હરિયાણા, પંજાબ સહિત 9 રાજ્યનો જાન્યુઆરીમાં પ્રવાસ કરશે.
તૈયારીમાં આ પણ સામેલ
કહેવામાં આવે છે કે પાર્ટીમાં મોટા પદ પર ધીમે ધીમે ઓછા થતા દાયરાથી નારાજ બ્રાહ્મણ સમાજને સંભાળવાનો પણ ભાજપ પ્રયાસ કરશે. આ સિવાય પાર્ટી બિહારમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સથી જનતા દળ યૂનાઇટેડના બહાર જવા, કર્ણાટકમાં લિંગાયત-વોકલિગા અને મહારાષ્ટ્રના રાજકીય ઘટનાક્રમોને પણ યાદ રાખશે.
મંત્રીઓને મળી શકે છે પાર્ટીના કામ
ખાસ કરીને ચૂંટણી રાજ્યમાં મંત્રીઓને પાર્ટીના કામમાં લગાવવામાં આવી શકે છે. સાથે જ શક્યતા વ્યક્ત કરવામાં આવે છે કે મધ્ય પ્રદેશમાં ઓબીસી અને આદિવાસી સમાજને પાર્ટી અને સરકારમાં વધુ પ્રતિનિધિત્વ મળી શકે છે.
Advertisement