ચંદીગઢ: ચંદીગઢ મેયર ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે. ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ભાજપને જીત મળી છે અને અનૂપ ગુપ્તા શહેરના નવા મેયર ચૂંટાયા છે. ભાજપના અનૂપ ગુપ્તાએ ચંદીગઢ મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના જસબીર સિંહને 1 મતથી હરાવ્યા હતા.
Advertisement
Advertisement
આમ આદમી પાર્ટીને 14 મત મળ્યા હતા જ્યારે ભારતીય જનતા પાર્ટીને 15 મત મળ્યા હતા, જે બાદ ભાજપના અનૂપ ગુપ્તાને વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા હતા. ભાજપના અનૂપ ગુપ્તા આ પહેલા ચંદીગઢના ડેપ્યુટી મેયર હતા. તે વર્ષ 2021માં પ્રથમ વખત કોર્પોરેટર ચૂંટાયા હતા.
ચંદીગઢના મેયર ચૂંટાયા બાદ ભાજપના અનૂપ ગુપ્તાએ કહ્યુ, “હું પાર્ટી નેતૃત્વનો આભાર માનું છુ કે જેમણે મને આ પદ માટે ઉમેદવાર ચૂંટ્યો. હું તે ગરીમાથી સદન ચલાવીશ જે રીતે ગત મેયર સરબજીત કૌરે ચલાવ્યું હતું.” ચંદીગઢના મેયરની ચૂંટણીથી કોંગ્રેસ પાર્ટીના 6 અને શિરોમણી અકાલી દળના એક કોર્પોરેટરે અંતર જાળવ્યુ હતુ. આ તમામે મેયરની ચૂંટણીમાં મતદાન કર્યુ નહતુ.
Advertisement