ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા કન્હૈયા કુમારે કહ્યુ કે આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) એક જ ટીમનો ભાગ છે અને બન્ને એક બીજાની નકલ કરે છે. એક ઇન્ટરવ્યૂમાં કન્હૈયા કુમારે કહ્યુ કે ભાજપ એક વૈચારિક પાર્ટી છે અને કોંગ્રેસ જ નૈસર્ગિક વિપક્ષ છે જે દેશને વૈકલ્પિક વિચારધારા આપે છે. કન્હૈયાએ આ વાત અરવિંદ કેજરીવાલની આગેવાની ધરાવતી પાર્ટી આપ તરફથી ખુદને ભાજપના મુખ્ય વિરોધી ગણાવવાના સંદર્ભમાં કહી છે.
Advertisement
Advertisement
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. કન્હૈયા કુમારે કહ્યુ કે દેશમાં એવુ માનવામાં આવે છે કે ગુજરાત જે આજે વિચારે છે, ભારત તેને કાલે વિચારે છે. કોંગ્રેસના નેતાએ કહ્યુ, ઘણી વસ્તુ અહી (ગુજરાત)થી શરૂ થઇ. અમે આશા કરીએ છીએ કે અહીથી એક રાજકીય મેસેજ જશે. જો લોકો ભાજપથી ખુશ છે તો તેમણે ચૂંટવા દો પરંતુ જો લોકો પરિવર્તન ઇચ્છે છે તો તે કોંગ્રેસને તક આપશે, એવી મારી આશા છે. 27 વર્ષથી ભાજપ શાસિત રાજ્યમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રામાં સામેલ થઇ ચુકેલા જેએનયૂના પૂર્વ વિદ્યાર્થી નેતાએ કહ્યુ કે ગુજરાત 2022 વિધાનસભા ચૂંટણીમાં મીલનો પત્થર ધરાવતુ પરિણામ આપી શકે છે.
કન્હૈયા કુમારે આમ આદમી પાર્ટી પણ પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના નેતાએ કહ્યુ, ભાજપે 2017માં અનુભવ કર્યો કે તે ગુજરાતમાં આગામી ચૂંટણી નહી જીતી શકે, માટે તે અહી આપને લઇને આવી. અહી A અને B ટીમનો કોઇ સવાલ નથી, ભાજપ અને આપ એક જ ટીમ છે. એક બીજાનું અનુસરણ કરે છે. કન્હૈયા કુમારે પોતાની વાત આગળ વધારતા કહ્યુ, જ્યારે મોદી અને કેજરીવાલના સપના એક જેવા છે, બન્નેમાં વૈચારિક અંતર શું છે? નફરતની રાજનીતિ, હિંસા અને ધ્રુવીકરણ, આપ તેની પર ચુપ રહીને રાજનીતિ કરવા માંગે છે, માટે વૈચારિક અંતર ક્યા છે?
કોંગ્રેસમાં આવ્યા પહેલા કોમ્યિુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (CPI)ના નેતા રહેલા કન્હૈયા કુમારે કહ્યુ, ભાજપ એક વૈચારિક અને કાડર આધારિત પાર્ટી છે. આપણે સમજવુ પડશે કે જો એક પાર્ટી વૈચારિક અથવા કાડર આધારિત નથી તો તે ભાજપને પડકાર નથી આપી શકતી. આ ભાજપનો વિકલ્પ નથી બની શકતી. દેશમાં કોંગ્રેસ જ ભાજપની નૈસર્ગિક વિપક્ષી પાર્ટી છે. કોંગ્રેસ જ એકમાત્ર પાર્ટી છે જે જેને રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ પાસેથી સત્તા છીનવી છે. શું આમ આદમી પાર્ટી કોંગ્રેસના વોટમાં ભાગ પાડી શકે છે? આ સવાલના જવાબમાં કન્હૈયા કુમારે કહ્યુ, ગોવા અને ઉત્તરાખંડની ચૂંટણીમાં શું થયુ? વોટ ભાગને કારણે ભાજપને ફાયદો થયો. ગોવામાં મુખ્યમંત્રી વિરૂદ્ધ સત્તા વિરોધી લહેર ઘણી વધારે હતી પરંતુ તે (ભાજપ) જીતી ગયુ. ઉત્તરાખંડમાં અમે મુખ્યમંત્રીને હરાવવામાં સફળ રહ્યા પરંતુ છતા પણ અમે હારી ગયા.
Advertisement