અમદાવાદ: ગુજરાત સરકારે બિલ્કીસ બાનો ગેંગ રેપ કેસમાં દોષિતોને માફ કરવાના મામલે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. એફિડેવિટમાં ગુજરાત સરકારે 11 દોષિતોને મુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો છે.
Advertisement
Advertisement
લાઈવ લો અનુસાર, ગુજરાત સરકારે કહ્યું કે સારા વર્તનને ધ્યાનમાં રાખીને 14 વર્ષની સજા પૂરી કરીને મુક્તિ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારની સંમતિ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ કેસમાં દોષિત ઠરેલા 11 લોકોને 15 ઓગસ્ટે મુક્ત કરવામાં આવ્યા હતા. 1 દોષિત ગુનેગાર ગોધરા સબ જેલમાં બંધ હતો. ગુજરાત સરકારે તેની મુક્તિ નીતિ હેઠળ છૂટ આપી હતી.
11 દોષિતોમાંથી એક રાધેશ્યામ શાહે સુપ્રીમ કોર્ટમાં માફી માટે અરજી કરી હતી, જે બાદ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને તેના પર નિર્ણય લેવા જણાવ્યું હતું. ગુજરાત સરકારે આ મામલે એક કમિટીની નિમણૂક કરી હતી. આ જ સમિતિએ સજા પામેલા દોષિતોની દયાની અરજીને મંજૂર કરી હતી, જેના પછી મુક્તિ શક્ય બની હતી.
આ નિર્ણય પર પહોંચવા માટે કમેટીએ ગુજરાત સરકારની 1992ની તે સજા-માફી નીતિને આધાર બનાવી છે, જેમાં કોઈપણ શ્રેણીના આરોપીને રિહા કરવા પર કોઈ જ પ્રતિબંધ નથી. આ 11 લોકો 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સાત સભ્યોની હત્યા માટે આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા.
2008માં મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે આ કેસમાં આ 11 લોકોને આજીવન કેદની સજા સંભળાવી હતી.
ઉલ્લેખનિય છે કે, 2002ના રમખાણો દરમિયાન ઉપરોક્ત તમામ આરોપીઓએ બિલ્કીસ બાનો ઉપર બળાત્કાર કર્યો હતો. જ્યારે બિલ્કીશ બાનો ઉપર બળાત્કાર કરવામાં આવી રહ્યો હતો, ત્યારે પ્રેગ્નેન્ટ હતી. તે સ્થિતિમાં તેના ઉપર તમામ આરોપીઓએ પાસવી રીતે બળાત્કાર ગુજાર્યો હતો.
તે ઉપરાંત તેના તમામ પરિવારના સભ્યોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. સાત લોકોની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. તેમાં એક ફુલ જેવી બાળકીને જમીન ઉપર પછાડી-પછાડીને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. બિલ્કીશ બાનોના પરિવારના લોકોને પિશાંચી મોત આપવામાં આવ્યો હતો.
તે તમામ આરોપીઓને સરકારે માફી આપી દીધી છે. સરકારનો સ્પષ્ટ સંદેશ છે, જે ગુજરાત અને દેશના લોકો સમજી રહ્યાં છે. સરકારે હવે હિન્દુ-મુસ્લિમોને લઇને ઉશ્કેરણીજનક નિવેદન આપવાનું બંધ કરી દીધું છે પરંતુ બોલ્યા વગર જ એવા સંદેશ આપવામાં આવી રહ્યાં છે, જે દેશ માટે આગામી સમયમાં ખતરનાક બની શકે છે.
એક તરફ દેખાવ પૂરતી વિકાસની વાતો તો બીજી તરફ મતબેંકને મજબૂત કરવા માટે ખતરનાક નિર્ણય લેવામાં આવી રહ્યાં છે. જે એક દિવસ દેશને અંધકારભરી ખાઇમાં ધકેલી દેશે.
Advertisement