ગાંધીનગર: શાહરૂખ ખાન 4 વર્ષ પછી ‘પઠાણ’ ફિલ્મથી કમબેક કરી રહ્યો છે. પઠાણ 25 જાન્યુઆરીએ થિયેટરમાં રિલીઝ થવા જઇ રહી છે. ‘પઠાણ’ના ટ્રેલર પહેલા જ્યારે તેનું ગાયન ‘બેશરમ રંગ’ રિલીઝ થયુ ત્યારે વિવાદ થયો હતો. ફિલ્મમાં દીપિકા પાદુકોણે ભગવા કલરની બિકિની પહેરતા વિવાદ થયો હતો જેને લઇને નેતાથી લઇને સંગઠનોએ આ ફિલ્મનો વિરોધ કર્યો હતો. સોશિયલ મીડિયા પર પઠાણ ફિલ્મને બૉયકોટ કરવાની માંગ કરવામાં આવતી હતી. જોકે, હવે પઠાણ ફિલ્મને લઇને શાહરૂખ ખાનના ફેન્સ માટે સારા સમાચાર છે. ગુજરાતમાં બજરંગ દળ અને વીએચપી પઠાણ ફિલ્મનો વિરોધ નહી કરે.
Advertisement
Advertisement
બજરંગ દળ ‘પઠાણ’નો વિરોધ નહી કરે
‘પઠાણ’ વિરૂદ્ધ કેટલાક શહેરમાં પ્રદર્શન કરવામાં આગળ રહેનાર વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળ ગુજરાતમાં ફિલ્મનો વિરોધ નહી કરે. ગુજરાતમાં વિશ્વ હિન્દૂ પરિષદના મંત્રી અશોક રાવલે એક ઓફિશિયલ નિવેદન જાહેર કર્યુ છે. પોતાના નિવેદનમાં તેમણે ‘પઠાણ’માં બદલાવ કરવા માટે સેન્સર બોર્ડની પ્રશંસા કરી હતી અને કહ્યુ કે હવે ફિલ્મ જોવી કે ના જોવી તે જનતા ઉપર છે.
અશોક રાવલે પોતાના ઓફિશિયલ નિવેદનમાં કહ્યુ, “હિન્દી ફિલ્મ પઠાણના બજરંગ દળના વિરોધ બાદ, સેન્સર બોર્ડે ફિલ્મમાં અશ્લીલ ગીત અને ખરાબ શબ્દોને દૂર કર્યા છે, જે સારા સમાચાર છે. ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે આ સફળ સંઘર્ષ કરનારા તમામ કાર્યકર્તાઓ અને સમગ્ર હિન્દૂ સમાજનો હું આભાર માનું છું.”
સંસ્કૃતિનું ધ્યાન રાખવામાં આવે તો આપત્તિ નહી થાય
અશોક રાવલે કહ્યુ, “આ સાથે જ હું સેન્સર બોર્ડ, નિર્માતા અને થિયેટર માલિકોને એવો અનુરોધ કરૂ છુ કે ફિલ્મ ઉદ્યોગના એક મહત્વપૂર્ણ ભાગીદારના રૂપમાં જો તે સમય રહેતા ધર્મ, સંસ્કૃતિ અને દેશભક્તિને ધ્યાનમાં રાખતા આવી વાતોનો વિરોધ કરે છે તો બજરંગ દળ અને હિન્દૂ સમાજને કોઇ આપત્તિ નહી થાય. અશોક રાવલે કહ્યુ, ફિલ્મ જોવી કે ના જોવાનો નિર્ણય અમે ગુજરાતના નાગરિકો પર છોડીયે છીએ.
25 જાન્યુઆરીએ પઠાણ થિયેટરમાં રિલીઝ થવા જઇ રહી છે અને તેની માટે જનતા એડવાન્સ ટિકિટ બુક કરી રહી છે. રિલીઝના એક દિવસ પહેલા અશોક રાવલનું નિવેદન થિયેટરમાં જઇ રહેલી જનતાને મોટિવેટ કરશે.
Advertisement