નવી દિલ્હી: રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગહેલોતે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક 1.30 કલાક ચાલી હતી. બેઠક બાદ તેમણે જાહેરાત કરી કે તે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી નહી લડે. આટલુ જ નહી તેમણે કહ્યુ કે રાજસ્થાનમાં જે કઇ થયુ, તેની માટે તે દુખી છે, માટે સોનિયા ગાંધી સાથે માફી પણ માંગી છે.
Advertisement
Advertisement
સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ અશોક ગહેલોતે કહ્યુ કે છેલ્લા 50 વર્ષથી ઇન્દિરા ગાંધીના સમયથી મે કોંગ્રેસનો એક વફાદાર સિપાહીના રૂપમાં કામ કર્યુ છે. મને પુરો વિશ્વાસ બતાવીને જે પણ જવાબદારી સોપવામાં આવી, મે ઇમાનદારીથી નીભાવી છે.
રાજસ્થાનમાં ધારાસભ્યોએ રાજીનામાની કરી હતી જાહેરાત
અશોક ગહેલોતના કોંગ્રેસ અધ્યક્ષ પદની જાહેરાત બાદ રાજસ્થાનમાં સીએમ બદલવાની ચર્ચા હતી. તે બાદ ગહેલોત ગ્રુપના ધારાસભ્ય ખુલીને પાર્ટી હાઇકમાન વિરૂદ્ધ આવી ગયા હતા. 82 ધારાસભ્યોએ સ્પીકરને પોતાનું રાજીનામુ સોપી દીધુ હતુ. આટલુ જ નહી કોંગ્રેસ તરફથી મોકલવામાં આવેલા સુપર વાઇજર અજય માકન અને મલ્લિકાર્જૂન ખડગેને ધારાસભ્યોએ શરત રાખીને મળવાનો ઇનકાર કરી દીધો હતો. તે બાદ માકન અને ખડગેએ રિપોર્ટ સોનિયા ગાંધીને સોપ્યો હતો. કહેવામાં આવે છે કે કોંગ્રેસ હાઇકમાન રાજસ્થાનની ઘટના બાદ અશોક ગહેલોતથી નારાજ હતુ.
Advertisement