ગાંધીનગર: રાજકોટની ગોંડલ બેઠક પર મતદાન પહેલા રાજકારણ ગરમાયુ છે. અનિરૂદ્ધસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી અને કહ્યુ કે, હું કોંગ્રેસમાં નથી પરંતુ કોંગ્રેસનું સમર્થન કરીશ, હું અમિત શાહ અને નરેન્દ્ર મોદીની માફી માંગુ છું. મહત્વપૂર્ણ છે કે અનિરૂદ્ધસિંહ અને જયરાજ સિંહ જાડેજા વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યુ છે. ભાજપે ગોંડલ બેઠક પર જયરાજ સિંહના પત્ની ગીતાબાને ટિકિટ આપી છે.
Advertisement
Advertisement
અનિરૂદ્ધ સિંહ જાડેજાએ પત્રકાર પરિષદ કરીને કહ્યુ, ” જયરાજની હારથી તમે લોકો જોશો કે ગોંડલ તાલુકાની અંદર લાપસીના આંધણા મુકાણા હશે અને ઘરે ઘરે લોકો લાપસી ખાતા હશે, આટલો તેનો ત્રાસ છે, અનિરૂદ્ધસિંહે કહ્યુ કે, આજે જયંતીબાપા ઢોલ ઇન્ફેક્શન હોવાથી હૉસ્પિટલમાં છે એટલે આવ્યા નથી”
ગોંડલમાં રીબડા અને ગોંડલ જૂથ વચ્ચેનો વિવાદ વકરી રહ્યો છે. અનિરૂદ્ધ સિંહ જાડેજાએ પત્રકાર પરીષદ કરીને ગોંડલમાં કોંગ્રેસના ઉમેદવાર યતીશ દેસાઇનું સમર્થન કરવાની જાહે્રાત કરી છે, અનિરૂદ્ધ સિંહે કહ્યુ કે તેઓ ભાજપમાં જ છે પણ ગોંડલ પુરતુ હતીશ દેસાઇનું સમર્થન કરશે.
રીબડા અને ગોંડલ જૂથ વચ્ચેનો વિવાદ ટિકિટની વાત ચાલતી હતી ત્યારથી થયો છે. અનિરૂદ્ધ સિંહ જાડેજાએ ગોંડલ બેઠક પર પોતાના પુત્ર માટે ભાજપ પાસે ટિકિટની માંગ કરી હતી જ્યારે જયરાજ સિંહે ગીતાબા તેમજ પુત્ર માટે ટિકિટની માંગણી કરી હતી. ભાજપ પ્રદેશ મોવડી મંડળે ગીતાબાને રીપીટ કરતા વિવાદ વધુ વકર્યો હતો. થોડા સમય પહેલા જયરાજ સિંહની એક ગામમાં સભા હતી તેમાં અનિરૂદ્ધસિંહ-સહદેવ સિંહને ખુલ્લેઆમ ધમકી પણ આપી હતી. અનિરૂદ્ધ સિંહે કહ્યુ કે, અમારા સમ્માન માટે હું જયરાજનો વિરોધ કરીશ.
મહત્વપૂર્ણ છે કે ગોંડલ બેઠક પર ત્રિપાંખીયો જંગ જોવા મળશે. ગોંડલમાં પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે મતદાન યોજાવાનું છે. ભાજપે આ બેઠક પર ગીતાબા જાડેજાને રીપીટ કર્યા છે જ્યારે કોંગ્રેસે હતીશ દેસાઇને ટિકિટ આપી છે. આમ આદમી પાર્ટીએ આ બેઠક પર નિમિષા ખુંટને મેદાનમાં ઉતાર્યા છે.
Advertisement