અમરેલી: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમરેલીમાં એક સહકારિતા સમ્મેલનમાં ભાગ લીધો હતો, તેમણે કહ્યુ કે અમરેલીમાં વિવિધ સહકારી સમિતી અને તેમના વધતા પ્રભાવને કારણે સહકારિતા ક્ષેત્ર નવી ઉંચાઇઓને અડી રહ્યુ છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જિલ્લાની મુખ્ય સહકારી સમિતીની વાર્ષિક સામાન્ય બેઠકને સંબોધિત કરી હતી. અમરેલી પછી અમિત શાહ ગિર સોમનાથ જિલ્લામાં જશે, જ્યા તે સોમનાથ મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના કરશે.
Advertisement
Advertisement
Gujarat | Union Home Minister Amit Shah attends the Annual General Meeting (AGM) of District Cooperatives in Amreli pic.twitter.com/VH6Wnbyr6M
— ANI (@ANI) September 11, 2022
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમનાથમાં ભગવાન હનુમાનની 16 ફૂટ ઉંચી એક મૂર્તિનું અનાવરણ પણ કરશે. આ સિવાય તે અરબ સાગરના કિનારે મારૂતી હાટ નામની 262 દુકાનોનું ઉદ્દઘાટન કરશે. મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેને ધ્યાનમાં રાખતા પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સતત રાજ્યમાં કાર્યક્રમ થઇ રહ્યા છે. ગત 4 સપ્ટેમ્બરે પણ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને તેમણે અમદાવાદમાં કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને મહાનગરપાલિકાની સ્માર્ટ સ્કૂલોનું ઉદ્દઘાટન કર્યુ હતુ.
અમિત શાહે અમરેલીમાં આ દરમિયાન કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યુ કે, કોંગ્રેસના રાજમાં બધી ડેરીઓને તાળા લાગ્યા, કોંગ્રેસના રાજમાં વેપારીઓ અને ખેડૂતોની હાલત કફોડી હતી.અગાઉ માત્ર 25 હજાર લિટર દૂધ પ્રોસેસ થતુ હતુૉ, આજે 1 લાખ 25 હજાર લિટર દૂધ પ્રોસેસ થાય છે. અમિત શાહે વધુમાં કહ્યુ કે અમરેલીના નેતાઓએ સહકારી ક્ષેત્રને મજબૂત કર્યુ છે. સહકાર ક્ષેત્ર અલગ બનાવાતા કરોડો ખેડૂતોને લાભ મળ્યો છે.સહકારી ક્ષેત્રે દેશ આગળ વધી રહ્યો છે. દેશમાં ખેડૂતોની ચિંતા કરનારી સરકાર છે.
સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં અમિત શાહે કહ્યુ કે, સહકારી સંસ્થામાં દિલીપ સંઘાણીનું કામ પ્રશંસનીય છે.અહી દિલીપ ભાઇને સર્ટિફીકેટ આપવા આવ્યો છું.
Advertisement