અમદાવાદમાં હવાના પ્રદૂષણને નાથવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કડક પગલાં લેવા સૂચના અપાઈ છે. અમદાવાદ શહેરમાં ધૂળના કારણે અનેક બીમારીઓનો લોકો ભોગ બની રહ્યા છે ત્યારે શહેરમાં બિલ્ડરો દ્વારા ચાલતી બાંધકામ સાઈટો પર માલસામાનની હેરફેર માટે ભારે વાહનો અને ટ્રકોનો ઉપયોગ થાય છે, તેના પૈંડાને નિયમિત સાફ કરવાના રહેશે.
બાંધકામ સાઈટ પર ખોદકામથી જે માટી નીકળે છે તેનો નિકાલ કરતી ટ્રકો અને ભાર વાહનોના સાઈટ પર પાર્કિંગ માટે RCC પેવિંગ કરવાનું રહેશે.
ઉપરાંત બાંધકામ સાઈટથી રોડના 50 મીટર રનિંગ સુધી આંતરિક રોડનું તેઓએ RCC રોડ પેવિંગ કરવાનું રહેશે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની સૂચના મુજબ, જે પણ બાંધકામ સાઈટ પર ખોદાણ થતું હોય અથવા ખોદાણની માટી લઈ જવા-લાવવા જે ભારે વાહનોનો ઉપયોગ થાય છે, જેના કારણે રોડ અને ફૂટપાથને મોટું નુકસાન થાય છે. રોડ પર માટીના કારણે ધૂળ ઉડે છે અને લોકોના આરોગ્યને નુકસાન થાય છે. જેને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનર દ્વારા પરિપત્ર કરીને અને બાંધકામ સાઈટ પર ટ્રકોના ટાયરોને નિયમિત ધોવાના રહેશ, સાઈટ પર આરસીસી પાર્કિંગ અને બાંધકામ 50 ટકા રનિંગ મીટર સુધી આરસીસી પેવિંગ કરવા માટેના સૂચનો અપાયા છે.
Advertisement