ગુજરાત રાજકારણમાં અત્યારે ઉથલપાથલ જોવા મળી રહી છે… એવામાં અત્યારે ગુજરાત રાજકારણમાંથી સૌથઈ મોટા સમાચાર સામે આવ્યાં છે… પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવેલા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા સહિતના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે..
Advertisement
Advertisement
મળતી માહિતી અનુસાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ધોરાજીની મુલાકાતે આવ્યાં હતાં. જ્યાં અરવિંદ કેજરીવાલની હાજરીમાં અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા સહિતની ટીમ આમ આદમી પાર્ટીમાં જોડાઈ છે…
અલ્પેશ કથીરિયાના આપમાં જોડાવાથી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યાં છે એવામાં ચર્ચા થઈ રહી છે… એવામાં સમાચાર છે કે અલ્પેશ કથીરિયા વરાછા બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા છે..
અલ્પેશ કથીરિયા સુરત શહેરના વરાછા વિસ્તારનો જાણીતા ચહેરા પૈકીનો એક છે. અલ્પેશ કથીરિયાને પાટીદાર ચહેરા તરીકે ઓળખવામાં આવે છે. વ્યવસાયે વકીલ એેવા અલ્પેશ કથીરિયા સુરતમાં પાટીદાર આંદોલનને વેગ આપવામાં સક્રિય રહ્યા હતા
ભાજપ માટે અલ્પેશ કથિરીયાનું આપમાં જોડાવવું એ નુક્સાનકારક છે. બીજી તરફ ધાર્મિક માલવિયા પણ ઓલપાડ બેઠક પર ચૂંટણી લડે તેવી સંભાવના છે. આપ માટે આ સૌથી મોટી સફળતા છે. અલ્પેશ કથિરિયા આપમાં જોડાતાં પાટીદારો સાથે સંકળાયેલી 6 બેઠકોને સીધી અસર કરશે.
Advertisement