ગાંધીનગરઃ રાજ્ય સરકારે બ્રિજની પરિસ્થિતિ અંગે નવી નીતિ જાહેર કરી છે. રાજ્યભરમાં આવેલા બ્રિજના ઈન્સ્પેક્શન અંગે રાજ્ય સરકારે મહત્વનો નિર્દેશ કરીને માર્ગદર્શિકા જાહેર કરી છે. કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેમજ વાહનચાલકોને હાલાકી ન ભોગવવી પડે તે હેતુથી સરકારે બ્રિજની નીતિ અંગે માર્ગદર્શિકા જારી કરી છે. આ માર્ગદર્શિકા મુજબ રાજ્યમાં આવેલા તમામ બ્રિજનું વર્ષમાં બે વખત નિરીક્ષણ કરવામાં આવશે. આ તમામ બ્રિજના ઈન્સ્પેક્શનની સંપૂર્ણ જવાબદારી ડેપ્યૂટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરની રહેશે.
Advertisement
Advertisement
વર્ષમાં બે વખત ઈન્સ્પેક્શન કરવામાં આવશે
રાજ્ય સરકારે બ્રિજની પરિસ્થિતિ અને કામગીરી અંગે નવી નીતિની જાહેરાત કરી છે. આ માર્ગદર્શિકા પ્રમાણે દરેક બ્રિજનું છ મહિનામાં એક વખત ઈન્સ્પેક્શન કરવામાં આવશે. તે પ્રમાણે રાજ્યના તમામ બ્રિજોનું દર વર્ષે મે અને ઓક્ટોબર મહિનામાં ઈન્સ્પેક્શન કરવાનું ફરજીયાત બનશે. રાજ્યભરમાં આવેલા તમામ બ્રિજો પર કોઈ મોટી દુર્ઘટના ન બને તે હેતુને ધ્યાનમાં રાખી સરકારે આ માર્ગદર્શિકા જાહેર કરી બે વખત ઈન્સ્પેક્શન કરવાનો નિર્દેશ આપ્યો છે. નવી નીતિ અંગેની માર્ગદર્શિકા મુજબ તમામ બ્રિજોની ઈન્સ્પેક્શનની સંપૂર્ણ જવાબદારી ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ઈઝનેરના શિરે રહેશે.
હાટકેશ્વર બ્રિજ અંગે વિરોધ પક્ષોનો ઉહાપોહ
અત્રે ઉલ્લેખનિય છે કે, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા હાટકેશ્વરમાં બનાવાયેલા છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજમાં હલકી ગુણવત્તાનું મટિરિયલ વપરાયું હોવાનો વિપક્ષોએ આક્ષેપ કર્યો હતો. આ બ્રિજ બન્યો છે, ત્યારથી તે બંધ હાલતમાં હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. છેલ્લાં છ મહિનાથી રિપેરિંગના નામે આ બ્રિજ બંધ કરાયો છે. બ્રિજ તૈયાર થયો ત્યારે આગામી 50 વર્ષ સુધી ચાલશે તેવો દાવો કરાયો હતો. જોકે પાંચ વર્ષમાં આ બ્રિજને રિપેરિંગ માટે પાંચ વખત કરવામાં આવ્યો છે. 2022માં જ સોલિડ એન્ડ મટિરિયલ ટેસ્ટિંગ લેબોરેટરીમાં હાટકેશ્વર બ્રિજનો રિપોર્ટ કરાયો હતો. તેમાં બ્રિજમાં હલકી ગુણવત્તાનું મટિરિયલ વપરાયું હોવાનો ખુલાસો થયો હતો.
Advertisement