અમદાવાદ: બૉલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણમાં ભગવા રંગને લઇને વિવાદ થયો હતો. અમદાવાદ મહાનગરપાલિકા પણ હવે કેસરિયા રંગમાં રંગાઇ ગયુ છે. અમદાવાદ મહાનગરપાલિકા (AMC)એ સ્ટ્રીટ પોલનો કલર બદલવાનો નિર્ણય કર્યો છે. શહેરમાં સ્ટ્રીટ લાઇટને ભગવા રંગમાં રંગવામાં આવશે. અત્યારે સ્ટ્રીટ લાઇટનો કલર સિલ્વર છે.
Advertisement
Advertisement
અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની સ્થાયી સમિતીના ચેરમેન હિતેશ બારોટ અનુસાર, સ્ટ્રીટ લાઇટના થાંભલાને કેસરિયા રંગથી રંગવામાં આવશે. હિતેશ બારોટે કહ્યુ કે ભગવો રંગ વધુ વિજિબલ હશે માટે સિલ્વરથી તેનો રંગ ભગવો કરવામાં આવશે.
કેમ બદલાશે સ્ટ્રીટ લાઇટનો રંગ?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનું કહેવુ છે કે અમદાવાદને G20 હેઠળ યજમાની મળી છે. એવામાં G20ની બેઠક ધરાવતા સ્થાન સાથે જોડાયેલા તમામ રસ્તાના સ્ટ્રીટ લાઇટના પોલનો રંગ ભગવો કરવામાં આવશે. હિતેશ બારોટે કહ્યુ કે આ સમિટ માટે મહાનગરપાલિકા તરફથી તમામ તૈયારી કરવામાં આવી રહી છે. એવામાં સ્ટ્રીટ લાઇટના થાંભલાને કેસરિયો કલર લગાવવાનો નિર્ણય કમિટીએ કર્યો છે. અમદાવાદને G20 હેઠળ યજમાની મળી છે, જેમાં કેટલીક મીટિંગ યોજાશે. તેનું સમાપન મેયર્સ સમિટ સાથે થશે. અમદાવાદ યૂનેસ્કો દ્વારા જાહેર વર્લ્ડ હેરિટેઝ સિટી છે.
Advertisement