અમદાવાદ: અમદાવાદના શાહપુર વિસ્તારમાં ન્યૂ એચ કોલોનીના એક મકાનમાં આગ લાગતા આઠ વર્ષના બાળક સહિત તેના માતા-પિતાના મોત થયા હતા. પરિવાર જ્યારે ઘરમાં ઉંઘતો હતો ત્યારે વહેલી સવારે આગ લાગી હતી અને ઘરમાં ધુમાડો ફેલાઇ ગયો હતો. બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ચાર ગાડી ઘટનાસ્થળે દોડી આવી હતી.
Advertisement
Advertisement
ફાયર વિભાગ દ્વારા જ્યારે ઘરમાં તપાસ કરવામાં આવી ત્યારે પતિ-પત્ની અને એક બાળકની લાશ મળી આવી હતી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોચી ગઇ હતી. મૃતક અમદાવાદ મ્યુનિસિપલસ કોર્પોરેશનમાં સફાઇ કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા.
અમદાવાદ ફાયરબ્રિગેડને સવારે 4.55 વાગ્યે કોલ મળ્યો હતો કે શાહપુર દરવાજા બહાર માસ્ટર પેટ્રોલ પંપ પાસે આવેલી ન્યૂ એચ. કોલોનીના એક ઘરમાં આગ લાગી છે. બનાવની જાણ થતા જ ફાયર વિભાગની ચાર ગાડી ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ જ્યારે ઘટનાસ્થળે પહોચી ત્યારે મકાનામં ગાદલામાં આગ લાગેલી હતી જેને ફાયર બ્રિગેડે ઓલવી નાખી હતી. ોકે, ઘરમાં ધૂમાડો વધારે હતો અને એક બાળક સહિત ત્રણ લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા.
Advertisement