વલ્લભીપુર, ભાવનગર જિલ્લાના વલભીપુર પાસેના મેવાસા ગામે ગદબ લઈ જતાં ટ્રકમાં ચૌદ મુસાફરો જઈ રહ્યા હતા. અચાનક ડ્રાઈવરની બેદરકારીને કારણે ટ્રક પલ્ટી ખાઈ જતાં ટ્રકની નીચે દબાઈ જવાથી ઘટના સ્થળે જ 6 મજૂરોના મોત થતા આખા પંથકમાં અરેરાઈટી પ્રસરી જવા પામી હતી. અન્ય 7 મજૂરોને ઈજાઓ થતાં તેમને વલ્લભીપુર અને ભાવનગરની હોસ્પિટલોમાં રિફર કરવામાં આવ્યા હતા.
Advertisement
Advertisement
Advertisement