નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને દિલ્હી પોલીસે ત્રણ કલાકની કસ્ટડી પછી છોડી મુક્યા છે. આ દરમિયાન તેમની વાયરલ વીડિયોને લઇને પૂછપરછ કરવામાં આવી હતી. આપના સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યુ- ગુજરાતના લોકોના ભારે દબાણને કારણે તેમણે ગોપાલ ઇટાલિયાને છોડવા પડ્યા. ગુજરાતના લોકોની જીત થઇ. દિલ્હી પોલીસે ગોપાલ ઇટાલિયાને સરિતા વિહાર પોલીસ સ્ટેશને લઇ ગઇ હતી. રાષ્ટ્રીય મહિલા આયોગે એક વાયરલ વીડિયો પર એક્શન લેતા ગોપાલ ઇટાલિયાને સમન્સ પાઠવ્યુ હતુ અને પૂછપરછ માટે બોલાવ્યા હતા, જે બાદ પોલીસે કસ્ટડીમાં લીધા હતા.
Advertisement
Advertisement
गुजरात के लोगों के भारी दबाव के चलते इन्हें गोपाल इटालिया को छोड़ना पड़ा। गुजरात के लोगों की जीत हुई। https://t.co/kzmuy8cdTu
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 13, 2022
આ પહેલા ગોપાલ ઇટાલિયાનો વધુ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે પીએમ મોદી પર આપત્તિજનક ટિપ્પણી કરતા જોવા મળી રહ્યા હતા. તે બાદથી ભાજપ સતત આમ આદમી પાર્ટી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધી રહી છે.
મહિલાઓેને મંદિર ના જવાની આપી હતી સલાહ
ભાજપે તાજેતરમાં ગોપાલ ઇટાલિયાનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં ગોપાલ ઇટાલિયા એમ કહેતા જોવા મળતા હતા કે હું માતાઓ અને બહેનોને અપીલ કરૂ છુ કે કથાઓ અને મંદિરમાં તમને કઇ નહી મળે, આ શોષણનું ઘર છે, જો તમારે તમારો અધિકાર જોઇએ, આ દેશ પર તમારે શાસન કરવુ હોય, સમાન હક જોઇએ તો કથાઓમાં નાચવાની જગ્યાએ, મારી માતાઓ, બહેનો આ વાંચો (એક હાથમાં પુસ્તક તરફ ઇશારો કરતા).
પીએમ મોદી પર કરી હતી ટિપ્પણી
આ પહેલા આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઇને અપશબ્દ કહેવાનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં આમ આદમી પાર્ટીના નેતા પીએમ મોદીના ગુજરાત પ્રવાસને નોટંકી ગણાવતા હતા. આ સાથેજ પીએમ મોદી માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.
Advertisement