ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને સુરતમાં ઝટકો લાગ્યો છે. સૂરત પૂર્વના AAPના ઉમેદવાર કંચન જરીવાલાએ અંતિમ ઘડીએ ફોર્મ પરત ખેચી લીધુ હતુ. આ પહેલા આમ આદમી પાર્ટીએ કંચન જરીવાલાનું અપહરણ થયુ હોવાનો ભાજપ પર આરોપ લગાવ્યો હતો. જોકે, હવે આજે બીજા તબક્કાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે તે પહેલા સુરત AAPના ઉમેદવારોને અજાણ્યા સ્થળે લઇ જવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
સુરતમાં જોવા મળ્યો ડ્રામા
સુરત શહેરની પૂર્વ બેઠક પર આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણીમાં ઝંપલાવનારા ઉમેદવાર કંચન જરીવાલા રહસ્યમય રીતે ગાયબ થયાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. કંચન જરીવાલા ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થઇને સ્વેચ્છાએ ઉમેદવારી પાછી ખેચી લીધી હતી. મતદાન પહેલા જ આપ પાર્ટીમાં તમાશાથી રાજકારણ પણ ગરમાયું છે.
કેન્દ્રીય ચૂંટણી પંચે રિપોર્ટ મંગાવ્યો
આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ ઉમેદવારી ફોર્મ પરત ખેચવાના મુદ્દે દિલ્હીમાં બેઠેલા આપના નેતાઓ દ્વારા કેન્દ્રીય ચૂંટણી પંચને ધાકધમકીથી ફોર્મ ખેચાવી લેવાયાની ફરિયાદ કરવામાં આવી હતી. કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત ચૂંટણી પંચને જાણ કર્યા બાદ સુરત જિલ્લા કલેક્ટર અને પૂર્વ બેઠકના ચૂંટણી અધિકારી પાસે આ અંગે રિપોર્ટ મંગાવ્યો હતો.
Advertisement