રાજકોટ: રાજકોટમાં એક ચેક ડેમનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગીય માતા હીરાબાના નામ પર રાખવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યુ કે આ ચેક ડેમનું નિર્માણ રાજકોટ શહેરમાં બની રહ્યુ છે, તેમણે કહ્યુ કે તેનું નામ હીરાબાના નામ પર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે 30 ડિસેમ્બર 2022માં પીએમ મોદીના માતાનું નિધન થયુ હતુ.
Advertisement
Advertisement
હીરાબાની યાદમાં ચેક ડેમનું નિર્માણ
મહત્વપૂર્ણ છે કે આ ચેક ડેમનું નિર્માણ ગિર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા કરાવવામાં આવી રહ્યુ છે. ટ્રસ્ટના અધ્યક્ષ દિલીપ સખિયાએ કહ્યુ કે રાજકોટ-કાલાવાડ રોડ પર વાગુદાદ ગામ પાસે ન્યારી નદીના નીચેના ભાગમાં ગિર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા 15 લાખ રૂપિયાના ખર્ચે ચેક ડેમ બનાવવામાં આવી રહ્યો છે, તેમણે કહ્યુ કે ચેક ડેમનું નામ સ્વર્ગીય હીરાબાના નામ પર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હીરાબાને અનોખી શ્રદ્ધાંજલિ
આ વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય દર્શિતા શાહ અને રાજકોટના મેયર પ્રદીપ ડવની હાજરીમાં બાંધ માટે એક ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતુ. દિલીપ સખિયાએ કહ્યુ, વડાપ્રધાન મોદીના માતાને શ્રદ્ધાંજલિના રૂપમાં અમે ચેક ડેમનું નામ હીરાબા સ્મૃતિ સરોવર રાખવાનો નિર્ણય કર્યો છે, કારણ કે આ તેમની સ્મૃતિમાં બનાવવામાં આવી રહ્યુ છે. આ બીજાને પણ તેમના નિધન પછી પરિવારના પ્રિયજનોને કઇક કરવા અથવા સારા કામ માટે દાન કરવા માટે પ્રેરિત કરશે.
ટ્રસ્ટે કેટલાક ચેક ડેમનું નિર્માણ કરાવ્યું છે
દિલીપ સખિયાએ કહ્યુ કે ટ્રસ્ટે દાનદાતાઓની આર્થિક મદદથી છેલ્લા ચાર મહિનામાં 75 ચેક ડેમ બનાવ્યા છે, તેમણે કહ્યુ કે નવો બાંધ બે અઠવાડિયામાં પૂર્ણ થઇ જશે અને તેમાં લગભગ 2.5 કરોડ લીટર પાણી જમા કરવાની ક્ષમતા હશે, તેમણે કહ્યુ, બાંધ 400 ફૂટ લાંબો અને 150 ફૂટ પહોળો હશે. એક વખત ભરાયા બાદ 9 મહિના સુધી નહી સુકાય. આ ભૂજળને રિચાર્જ કરશે અને આસપાસના ગામના ખેડૂતો અને પશુપાલકોની મદદ કરશે.
Advertisement