ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં રાધનપુર બેઠક પરથી ચૂંટણી લડેલા કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઇએ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને પત્ર લખ્યો છે. રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઇએ આ પત્રમાં ગુજરાતના કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર પર પણ મોટો આરોપ લગાવ્યો હતો.
Advertisement
Advertisement
પાર્ટી વિરૂદ્ધ કામ કરતા લોકોને કાબુમાં ના રાખતા પરાજય થયો- રઘુ દેસાઇ
રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઇએ મલ્લિકાર્જૂન ખડગેને લખેલા પત્રમાં કહ્યુ કે પાર્ટી વિરૂદ્ધ કામ કરતા લોકોને કાબુમાં ના રાખતા મારો પરાજય થયો છે, જગદીશ ઠાકોરની નજીકના સાથીદારોએ મને હરાવવા માટે ભાગ ભજવ્યો હતો. રઘુ દેસાઇએ જગદીશ ઠાકોરને તત્કાલીક સસ્પેન્ડ કરવાની માંગ પણ કરી છે.
રઘુ દેસાઇએ કહ્યુ કે- મને હરાવવા જગદીશ ઠાકોરના માણસોએ કામ કર્યુ છે, પાર્ટીના પ્રમુખે જ પોતાની જવાબદારી સમજી નથી.
Advertisement