અમદાવાદ: ઉતરાયણની તૈયારી શરૂ થઇ ગઇ છે ત્યારે અમદાવાદ સહિતના અનેક શહેરોમાં ચાઇનીઝ દોરી અને પતંગનું વેચાણ મોટા પાયે થઇ રહ્યુ છે. ગુજરાત હાઇકોર્ટે ચાઇનીઝ દોરીને લઇને થતી ઇજા અને મોતને લઇને નિવેદન આપ્યુ છે. ગુજરાત હાઇકોર્ટે આ મામલે બે દિવસમાં રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે.
Advertisement
Advertisement
ગુજરાત હાઇકોર્ટે ચાઇનીઝ દોરી, નાયલૉન દોરી તથા તુક્કલ મુદ્દેની કાર્યવાહી પર સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. ગુજરાત હાઇકોર્ટે કહ્યુ કે, ઘાતક દોરીથી નાગરિકોનું મૃત્યુ કે ઈજા થાય તે નહીં ચલાવી લેવાય. સરકારે દોરી પર પ્રતિબંધની અમલવારી કઇ રીતે કરાવાઇ રહી છે તેની પણ જાણકારી આપવી પડશે. મહત્વપૂર્ણ છે કે ઉતરાયણ દરમિયાન રસ્તા પર વાહન ચાલકોને દોરીને કારણે ઇજા થતી હોય છે અને કેટલીક ઘટનામાં ગળુ કપાવાને કારણે તેમનું મોત પણ થતુ હોય છે.
Advertisement