વિશાલ મિસ્ત્રી રાજપીપલા: 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે નર્મદા જીલ્લાની નાંદોદ બેઠક માટે ઉમેદવારની જાહેરાત તો કરી પરંતુ ડેડીયાપાડા બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત ન કરતા ભાજપ કાર્યકરો અવઢવમાં મુકાયા હતા.આ તમામની વચ્ચે દિલ્હીથી દેડીયાપાડા બેઠક માટે BTP ના મહેશ છોટુભાઇ વસાવાને ઉમેદવાર બનાવવાનું નક્કી થયું હોવાની ચર્ચાઓ વચ્ચે દેડીયાપાડા ભાજપના કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો છે.
Advertisement
Advertisement
રાજપીપલા ખાતે નાંદોદ બેઠકના ભાજપ ઉમેદવારના ચૂંટણી પ્રચારની વ્યવસ્થા ગોઠવવા માટેની એક બેઠક મળી હતી.જેમાં નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.એ બેઠકમાં અચાનક ડેડીયાપાડા ભાજપ કાર્યકરો પૈકી નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શંકરભાઈ વસાવા, નર્મદા જિલ્લા પંચાયત સભ્ય હિતેશ વસાવા, રણજીત ટેલર, નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને ડેડીયાપાડાના પ્રભારી રાજુભાઈ વસાવા સહીતના કાર્યકરો ત્યાં આવી પહોંચ્યા હતા.એમણે રજુઆત કરી હતી કે જો ડેડિયાપાડામાં કોઈ આયાતી ઉમેદવાર કે BTP નો ઉમેદવાર ભાજપે જાહેર કર્યો તો અમે કાર્યાલયે તાળા બંધી કરીશું. અમે જેમની વિરૂદ્ધ અત્યાર સુધી લડત આપી એમનો જ અમારે પ્રચાર કેવી રીતે કરવાનો, અમારે સ્થાનિક ઉમેદવાર જોઈએ.
નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ ભાઈ પટેલે જણાવ્યું હતું કે દેડિયાપાડા બેઠક માટે ઉમેદવાર જાહેર કરવાના બાકી છે.આ કાર્યકરોની રજૂઆત એવી છે કે કોઈ આયાતી કે અન્ય પાર્ટીનો ઉમેદવાર ન હોવો જોઈએ, એમની રજુઆત અમારા મોવડી મંડળ સુધી પહોંચાડીશું.અમારો ભાજપનો કોઈ પણ કાર્યકર પાર્ટી વિરૂદ્ધ કામ ન કરે.
Advertisement