ઇન્દ્રનીલ રાજ્યગુરૂની કોંગ્રેસમાં ઘરવાપસી કરી દીધી છે. આપ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ ફરીવાર કોંગ્રેસમાં જોડાયા છે અને આપમાંથી રાજીનામું આપી દીધું છે. આમ આદમી પાર્ટીએ ઇશુદાન ગઢવીને આપના સીએમ પદના ચહેરા તરીકે જાહેર કર્યા છે એવામાં ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ આપને અલવિદા કહી દીધું છે. આપના મોટા નેતા કોંગ્રેસમાં સામેલ થતા આમ આદમી પાર્ટીને મોટો ઝાટકો લાગ્યો છે.
Advertisement
Advertisement
ગુજરાતમાં પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચાર કરી રહી છે, તેમાંય ઈસુદાનનું સીએમ પદના ચહેરા તરીકે નામ જાહેર થતાની સાથે જ આપના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ સાંજ સુધીમાં તો આપને ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ 404ના ઝાટકો આપ્યો છે.
આ સાથે જ ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટી લોકોને ખોટો વાયદાઓ કરે છે અને પ્રજાને મૂર્ખ બનાવે છે. સાથે જ તેમણે કહ્યું કે હું મારા ઘરે પરત ફર્યો છું જેનો મને આનંદ છે.
ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ કહ્યું કે, મારા ઘરમાં પાછા આવવાનો મને આનંદ છે. આમ આદમી પાર્ટી લોકોને મુર્ખ બનાવે છે. મને AAPમાં મહત્વ ન મળતા ફરી કોંગ્રેસમાં જોડાયો છું.
તમને જણાવી દઇએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આ વર્ષના એપ્રિલ મહિનામાં કોંગ્રેસને ઝટકો આપી સૌરાષ્ટ્રના બે દિગ્ગજ નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ તથા રાજકોટ કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયા આપમાં જોડાયા હતા.
જોકે તે સમયે ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ મીડિયા સામે જણાવ્યુ હતું કે, હું કોંગ્રેસમાંથી પણ લોકો માટે જ લડતો આવ્યો છું અને આપમાંથી પણ લડીશ. અરવિંદજી પક્ષ માટે નહીં પરંતુ તેઓ ભારતના આમ આદમી માટે લડે છે. જોકે હવે ગુજરાતની રાજનીતિમાં બદલાવ આવ્યો છે અને ફરી એક વખત ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ પોતાની ઘરવાપસી કરી છે અને કોંગ્રેસમાં જોડાયા છે.
Advertisement