મોરબી શહેરમાંથી અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. મોરબીમાં જે ઝુલતા પુલનું 5 દિવસ પહેલા મુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે પુલ આજે નદીમાં ખાબકતા 400થી વધુ લોકો પુલમાં ખાબક્યા છે. આ સાથે જ અનેક લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે…. આ ઘટનામાં 50થી વધુ લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે..
Advertisement
Advertisement
મોરબીના મણિમંદિર પાસે મચ્છ નદી પર આવેલો ઝુલતો પુલ નદીમાં ખાબક્યો હતો. જેથી લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. હાલ તો તમામ લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાને પગલે પીએમ મોદી સહિત અનેક નેતાઓએ દુખ વ્યક્ત કર્યું છે…
મોરબીનો ઝૂલતો પુલ નવા વર્ષના દિવસે સહેલાણીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ પુલ 2 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે… મોરબીમાં દિવાળીની રજાઓમાં છેલ્લા ઘણા દિવસોથી ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. ત્યારે આજે પણ લોકોની ભીડ જામી હોય, મોડી સાંજે આ પુલના બે ભાગ થઈને તૂટી પડ્યો હતો.
પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું…
મોરબીની દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી. તેમણે બચાવ કામગીરી માટે તાત્કાલિક ટીમોની મોકલવા કહ્યું છે.
આ દુર્ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. બીજી તરફ હાલ પુરજોશમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. તમને જણાવી દયે કે રૂપિયા 2 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. તેમજ 6 મહિના માટે ઝૂલતો પુલ બંધ રહ્યો હતો.
સીએમએ દુખ વ્યક્ત કર્યું…
ભૂપેન્દ્ર પટેલે લખ્યું કે, મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે.
આ પુલના ઈતિહાસની વાત કરીએ તો 20મી ફેબ્રુઆરી, 1879ના રોજ મુંબઇના ગવર્નરશ્રી રિચર્ડ ટેમ્પલ ના હસ્તે આ પુલનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે સમયે આશરે 3.5 લાખના ખર્ચે ઇ.સ.1880માં બનાવવામાં આવ્યો હતો…
Advertisement