નવી દિલ્હી: કોંગ્રેસમાં ઉદયપુર ફોર્મ્યુલાનો અમલ: કોંગ્રેસના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીને પુનર્જીવિત કરવા માટે આજથી પાર્ટીની કમાન સંભાળી છે. તેમણે પદભાર સંભાળતાની સાથે જ પ્રથમ જાહેરાત કરી હતી કે પાર્ટીના 50 ટકા પદ 50 વર્ષથી ઓછી વયના નેતાઓને આપવામાં આવશે. ખડગેએ પાર્ટીના નેતાઓ પર ઉદયપુર ચિંતન શિબિરની દરખાસ્તો લાગુ કરી. તમને જણાવી દઈએ કે આ પહેલા મે મહિના દરમિયાન ઉદયપુરમાં કોંગ્રેસનું ચિંતન શિવર રાખવામાં આવ્યું હતું. આ ત્રિદિવસીય ચિંતન શિબિરમાં યુવાનોને તક આપવામાં આવે તો કોંગ્રેસ પક્ષ ફરી એકવાર મજબુત બની શકે તેવું તારણ કાઢવામાં આવ્યું હતું.
Advertisement
Advertisement
કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે 50 વર્ષથી ઓછી વયના નેતાઓને પાર્ટીના 50 ટકા પદો આપવાની ઉદયપુર ઘોષણાનો પ્રસ્તાવ લાગુ કરવામાં આવ્યો છે કારણ કે મે મહિનામાં કોંગ્રેસના ચિંતન શિવિરમાં તે અંગે વિસ્તારપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તે ઉપરાંત રાજસ્થાન કોંગ્રેસના નેતા સચિન પાયલોટે પણ પુષ્ટિ કરી છે કે નવા અધ્યક્ષે પાર્ટીમાં 50 વર્ષથી ઓછી વયના કાર્યકરોને પાર્ટીના 50% પદ આપવાના ઉદયપુર ઘોષણાના પ્રસ્તાવને લાગુ કર્યો છે. પાર્ટીના તમામ સભ્યોએ આ જાહેરાત સ્વીકારી લીધી છે અને ખડગેજીએ ચૂંટાતાની સાથે જ તેનો અમલ કરવાની જાહેરાત કરી છે.
રાજ્યસભામાં વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપ્યું
કોંગ્રેસના નવા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઉદયપુર ચિંતન શિવરના ‘એક નેતા એક પદ’ના નિયમને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણી લડતા પહેલા જ રાજ્યસભામાં વિપક્ષના નેતા પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ઉદયપુરમાં યોજાયેલા કોંગ્રેસના ચિંતન શિબિરમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે પાર્ટીમાં કોઈ પણ વ્યક્તિ બે હોદ્દા પર રહેશે નહીં.
Advertisement