રાજસ્થાનમાં ફરી એક વખત કોંગ્રેસની સરકાર ખતરામાં છે અને આ વખતે મુખ્યમંત્રી અશોક ગહેલોતનો જૂથ જવાબદાર છે. અશોક ગહેલોત અને સચિન પાયલોટ
Advertisement
Advertisement
સચિન પાયલોટને આગામી મુખ્યમંત્રી બનાવવાની અટકળો વચ્ચે ગહેલોત જૂથના લગભગ 80-90 ધારાસભ્યોએ સ્પીકરને પોતાનું રાજીનામું સોપી દીધુ છે. આ સંકટને કારણે ગહેલોત અને પાયલોટનો 36નો આંકડો ફરી ચર્ચામાં આવી ગયો છે. આવો તમને આ બન્ને વચ્ચેના ટકરાવના ઇતિહાસ વિશે જણાવીયે.
2018 સુધી જાય છે પાયલોટ અને ગહેલોતના ટકરાવના મૂળ
રાજસ્થાનમાં મુખ્ય લડાઇ અશોક ગહેલોત અને સચિન પાયલોટ વચ્ચે છે. બન્નેના સબંધ 2018માં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનવાથી સામાન્ય નથી થયા, ત્યારે પાર્ટી નેતૃત્વએ ગહેલોતને પાયલોટ પર મહત્વ આપતા મુખ્યમંત્રી બનાવ્યા હતા. તે બાદથી બન્ને નેતા કેટલીક વખત ખુલ્લેઆમ એક બીજા વિરૂદ્ધ નિવેદન આપી ચુક્યા છે અને પાયલોટ ગહેલોત પર સરકારમાં તેમણે કિનારા પર મુકવાનો આરોપ લગાવતા રહ્યા છે.
જુલાઇ, 2020માં પાયલોટે ગહેલોત વિરૂદ્ધ કર્યો હતો બળવો
ગહેલોતે તેમને કિનારા પર ધકેલતા કંટાળીને પાયલોટે જુલાઇ, 2020માં બળવો કર્યો હતો અને પોતાના જૂથના ધારાસભ્યો સાથે જઇને દિલ્હી-NCRમાં અડ્ડો જમાવ્યો હતો, ત્યારે તેમણે ગહેલોતને હટાવીને તેમણે મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી હતી, જોકે, ધીમે ધીમે તેમના સમર્થન ધારાસભ્યોની સંખ્યા ઘટતી ગઇ અને તે એકલા પડી ગયા હતા. અંતમાં તેમણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે વાત કરી હતી અને તેમના આશ્વાસન બાદ પોતાનો બળવો પૂર્ણ કર્યો હતો.
માંગો પર સુનાવણી ના થતા નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે પાયલોટ
ગાંધી પરિવાર તરફથી આશ્વાસન આપવામાં આવ્યા બાદ સચિન પાયલોટ સમય સમય પર તેમની માંગો વિશે યાદ અપાવતા રહ્યા છે. જોકે, જ્યારે તેમની ફરિયાદ સાંભળવામાં ના આવી તો તેમણે જૂન, 2021માં તેની પર નારાજગી વ્યક્ત કરી હતી. તે બાદ આ વર્ષે એપ્રિલમાં સમાચાર આવ્યા કે પાયલોટે પાર્ટીના ટોચના નેતૃત્વને અલ્ટીમેટમ આપતા કહ્યુ છે કે તેમણે જલ્દી મુખ્યમંત્રી બનાવવામાં આવે. અહીથી કોંગ્રેસનું રાજકારણ ફરી ગરમાયુ છે.
જ્યારે લાગવા લાગ્યુ તો પુરૂ થઇ જશે પાયલોટનું મુખ્યમંત્રી બનવાનું સ્વપ્ન
રાજસ્થાનના મુખ્યમંત્રી બનવાનું સચિન પાયલોટનું જૂનું સ્વપ્ન ત્યારે પૂરુ થતુ જોવા મળ્યુ જ્યારે ઓગસ્ટમાં સમાચાર આવ્યા કે પાર્ટી હાઇકમાને ગહેલોતને કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી લડવા કહ્યુ છે. ગાંધી પરિવારના સમર્થનમાં ગહેલોતની અધ્યક્ષ ચૂંટણી જીતવી નક્કી હતી, એવામાં તે કેન્દ્રમાં જતા રહેતા અને પાયલોટ રાજસ્થાનના મુખ્યમંત્રીની ગાદી સંભાળતા. રિપોર્ટ્સ અનુસાર, આ રણનીતિ પર ગાંધી પરિવારની પણ મોહર હતી.
ગહેલોત જૂથના ધારાસભ્યોએ બળવો કરીને પુરી રમત પલટી
રવિવારે ગહેલોત જૂથના ધારાસભ્યોના બળવા સાથે જ પાયલોટનું સ્વપ્ન એક વખત ફરી લટકી ગયુ છે. આટલુ જ નહી, સરકાર પાડવાની સ્થિતિ આવી ગઇ છે. આ બળવાથી ખબર પડે છે કે ગહેલોત પાયલોટને આટલી દુશ્મની માને છે કે તેમણે મુખ્યમંત્રી બનાવવાની જગ્યાએ ગહેલોતે પાર્ટીના ટોચના નેતૃત્વને જ પડકાર આપ્યો અને પાર્ટી માટે એક શરમજનક સ્થિતિ ઉભી કરી દીધી છે.
Advertisement