અમદાવાદઃ ગુજરાતના રાજકોટ શહેરમાં હૃદયરોગના દર્દીઓની સંખ્યા ચિંતાજનક છે. રાજકોટમાં હૃદયરોગના દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. રાજકોટમાં હૃદયરોગ અને હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં હૃદયરોગના દર્દીઓની સંખ્યામાં ભારે વધારો થયો છે. આંકડા પર નજર કરીએ તો રાજકોટ સિવિલ હોસ્પિટલના રજિસ્ટરમાં પણ હ્રદય સંબંધિત રોગોમાં ભારે વધારો નોંધાઈ રહ્યો છે અને ત્રણ વર્ષમાં આ આંકડો 6 હજારને વટાવી ગયો છે.
Advertisement
Advertisement
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હૃદયરોગના દર્દીઓની સંખ્યા વધી
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં ત્રણ વર્ષમાં હૃદયરોગના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. 2021 માં 1879 દર્દીઓ, 2022 માં 2426 દર્દીઓ અને 2023 ના 10 મહિનામાં 2646 દર્દીઓને હૃદય સંબંધિત રોગોની સારવાર આપવામાં આવી છે. હોસ્પિટલના રજિસ્ટરમાં નોંધાયેલા ડેટા પરથી આ માહિતી સામે આવી છે. કોરોના પીરિયડ પછી યુવાનોમાં હાર્ટ એટેકના કેસ સતત વધી રહ્યા છે. તેને લઈને ડોક્ટરો પણ ચિંતિત છે.
નાના બાળકો અને યુવાનોને પણ હાર્ટ એટેક આવે છે
તાજેતરના સમયમાં હાર્ટ એટેકના જે કિસ્સાઓ સામે આવ્યા છે તે ચિંતાજનક છે. પહેલા લોકો હાઈ કોલેસ્ટ્રોલ, સ્થૂળતા અને વધારે વજનના કારણે હાર્ટ એટેકનો ભોગ બનતા હતા. પરંતુ તાજેતરમાં નાના બાળકો અને યુવાનોમાં હાર્ટ એટેક આવવાના અને મૃત્યુના બનાવોમાં વધારો થયો છે.
સપ્ટેમ્બર મહિનામાં હાર્ટ એટેકના સૌથી વધુ 451 કેસ નોંધાયા
તાજેતરના અહેવાલ મુજબ રાજકોટમાં ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં એટલે કે 1થી 7 ઓક્ટોબર દરમિયાન હાર્ટ એટેકના 63 કેસ નોંધાયા છે જે ચિંતાનો વિષય બન્યો છે. વર્તમાન વર્ષમાં હાર્ટ એટેકના સૌથી વધુ 451 કેસ સપ્ટેમ્બર મહિનામાં નોંધાયા હતા અને સૌથી ઓછા હાર્ટ એટેકના કેસ જૂન મહિનામાં 324 નોંધાયા હતા. હાર્ટ એટેકના વાર્ષિક કેસની વાત કરીએ તો, 2021માં 2087 કેસ અને 2022માં 3458 કેસ નોંધાયા છે.
Advertisement