દિલ્હી: સંસદના બંને ગૃહોમાં ચોમાસુ સત્ર ધાંધલધમાલ ભરેલું જોવા મળી રહ્યું છે. આજે પણ લોકસભાની કાર્યવાહીની શરૂઆત થતાં જ મણિપુર મુદ્દે વિપક્ષે હોબાળો કર્યો હતો. જેને પગલે સ્પીકરે લોકસભાની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી મુલતવી રાખી દીધી હતી. જોકે, બીજી તરફ, રાજ્યસભાની કાર્યવાહી ચાલી રહી છે.
Advertisement
Advertisement
કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ લોકસભામાં સ્થગન પ્રસ્તાવની નોટિસ આપી છે. તેમણે ચીન સરહદની સ્થિતિ પર ચર્ચાની માંગ કરી છે. બીજી તરફ, રાજ્યસભાના સાંસદ ડૉ. સૈયદ નસીર હુસૈને બિઝનેસ સસ્પેન્શનની નોટિસ આપી છે અને મણિપુરની સ્થિતિ પર ચર્ચાની માંગ કરી છે. જ્યારે, ભાજપે તેના સાંસદો માટે દિલ્હી સર્વિસ બિલ પર ચર્ચા કરવા માટે વ્હિપ જારી કર્યો છે.
લોકસભામાં મંગળવારે દિલ્હી સર્વિસ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. બુધવારે હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. આજે આ બિલ પર ચર્ચા થવાની છે. પરંતુ હાલ હોબાળાને કારણે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી છે. વિપક્ષના સાંસદો અધીર રંજન ચૌધરી, એનકે પ્રેમચંદ્રન, સુશીલ કુમાર રિંકુ અને અસદુદ્દીન ઓવૈસી આ બિલ વિરુદ્ધ સંસદમાં પ્રસ્તાવ લાવે તેવી શક્યતા છે. દરમિયાન, સરકાર આજે ડેટા પ્રોટેક્શન બિલ પણ રજૂ કરશે.
અવિશ્વાસ પ્રસ્તાવ પર પહેલા ચર્ચા થવી જોઈએઃ અધીર રંજન ચૌધરી
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીનું કહેવું છે કે અવિશ્વાસ પ્રસ્તાવ પર પહેલા ચર્ચા થવી જોઈએ. પરંતુ, દિલ્હી સર્વિસ બિલ પહેલા લાવવામાં આવ્યું છે. આવું જાણી જોઈને કરવામાં આવી રહ્યું છે જેથી વિપક્ષમાં ભાગલા પડી જાય. જે દિવસે આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું તે દિવસથી જ અમે અમારું વલણ સ્પષ્ટ કરી દીધું હતું કે અમે આ બિલનો વિરોધ કરીશું.
ડીએમકેઃ ચોક્કસપણે દિલ્હી સર્વિસ બિલનો વિરોધ કરીશું
DMK સાંસદ ટીઆર બાલુએ દિલ્હી સર્વિસ બિલનો વિરોધ કરતાં કહ્યું, ‘ચોક્કસપણે અમે દિલ્હી સર્વિસ બિલનો વિરોધ કરીશું. આ એક તાનાશાહી બિલ છે અને આ બિલનો વિરોધ કરવો જ જોઈએ.
રાજ્યસભાના સભાપતિએ ગૃહના નેતાઓની બેઠક બોલાવી
દરમિયાન, રાજ્યસભાના સભાપતિએ મણિપુર પર ચર્ચા કરવા માટે ગૃહના નેતાઓને બપોરે એક વાગ્યે બેઠક માટે આમંત્રણ આપ્યું છે. વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે ત્યાં સુધી ગૃહને સ્થગિત કરવામાં આવે તેવું તેમનું સૂચન છે.
Advertisement