દિલ્હી: મણિપુર મુદ્દે વિપક્ષ સંસદના બંને ગૃહોમાં સતત હોબાળો મચાવી રહ્યો છે. તેના કારણે આજે પણ બંને ગૃહની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી. આજે સવારે કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હોબાળો શરૂ કર્યો હતો, જેના કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. જ્યારે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી.
Advertisement
Advertisement
મણિપુર મુદ્દે હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. વિપક્ષના સાંસદો મણિપુર મુદ્દે વડાપ્રધાનના નિવેદનની માગણી પર અડગ છે. સાથે જ સરકારે કહ્યું છે કે તે મણિપુર મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે. સરકારનો એવો પણ આરોપ છે કે વિપક્ષ ચર્ચાથી ભાગી રહ્યો છે.
I.N.D.I.A ગઠબંધનના સાંસદોની બેઠક યોજાઈ
મણિપુરની મુલાકાત કરનારા I.N.D.I.A ગઠબંધનના સાંસદો અને અન્ય વિપક્ષી નેતાઓએ આજે સંસદ ભવનમાં કોંગ્રેસના સંસદીય કાર્યાલયમાં બેઠક યોજી હતી. આ બેઠકમાં વિપક્ષની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર હતા. બેઠક પહેલા પત્રકારો સાથે વાત કરતા AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે I.N.D.I.A ગઠબંધનના સાંસદો મણિપુરના લોકોના આંસુ લૂછીને પરત ફર્યા છે….આજે વિપક્ષના સાંસદો બેઠક કરશે અને આ બેઠકમાં મણિપુરની સ્થિતિ પર ચર્ચા કરશે. બેઠક બાદ મણિપુર મુદ્દે વિપક્ષના આગામી પગલા અંગે માહિતી આપવામાં આવશે.
#WATCH | Meeting of I.N.D.I.A party alliance floor leaders with MPs who visited Manipur recently is underway at the Congress Parliamentary Party CPP office in Room no 53 at the Parliament House building to discuss the strategy for the floor of the House.
Congress parliamentary… pic.twitter.com/UY5r2m3MW5
— ANI (@ANI) July 31, 2023
અધીર રંજન ચૌધરીઃએ કહ્યું – મણિપુરમાં સ્થિતિ ખૂબ જ ગંભીર
લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે અમારી એક જ માંગ છે કે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થવી જોઈએ. મણિપુરમાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. દેશને બચાવવાની જરૂર છે. ભાજપ અને તેના સહયોગીઓએ પણ મણિપુરની મુલાકાત લેવી જોઈએ અને દરેકે મણિપુરની સ્થિતિની સમીક્ષા કરવી જોઈએ.
પીયૂષ ગોયલ – વિપક્ષે સત્રના નવ દિવસ વેડફ્યા
દરમિયાન, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે રાજ્યસભામાં કહ્યું કે અમે મણિપુરના મુદ્દા પર ચર્ચા કરવા માંગીએ છીએ. પરંતુ વિપક્ષના સાંસદો, સભ્યોને આપવામાં આવેલી સ્વતંત્રતાનો દુરુપયોગ કરી રહ્યા છે. સરકાર ચર્ચા કરવા માંગે છે. પરંતુ વિપક્ષે સંસદ સત્રના નવ મહત્વના દિવસો પહેલા જ વેડફી નાંખ્યા છે.
વિપક્ષના સાંસદો લોકસભા અધ્યક્ષને મળશે
દરમિયાન, વિપક્ષી ગઠબંધનના સાંસદો રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને મળશે. પોતપોતાના ગૃહમાં મણિપુરની વાસ્તવિક પરિસ્થિતિ વિશે બોલવાની છૂટ આપવામાં આવે તેવી વિપક્ષી સાંસદોની માંગ છે.
Advertisement