નવી દિલ્હીઃ બીજેપીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનના સહયોગીઓની બેઠક આજે એટલે કે મંગળવારે દિલ્હીમાં યોજાવા જઈ રહી છે. બેંગ્લુરુમાં વિપક્ષી એકતા વચ્ચે એનડીએની બેઠક શાસક ગઠબંધન માટે શક્તિ પ્રદર્શન હશે. વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે. સત્તાધારી ભાજપે નવા સાથીદારો શોધવા અને ગઠબંધન છોડી ગયેલા જૂના સહયોગીઓને આકર્ષવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં આજે યોજાનારી એનડીએની બેઠકમાં ભાજપના નવા અને જૂના સાથી પક્ષો હાજર રહેશે.
Advertisement
Advertisement
મિશન 2024 સાથે કનેક્શન
વિપક્ષ અવારનવાર ભાજપ પર તેના સાથી પક્ષોને દગો આપવાનો આરોપ લગાવતો રહે છે. આ દરમિયાન પાર્ટી તેના તમામ સાથી પક્ષોને એકજૂથ કરીને વિપક્ષને જડબાતોડ જવાબ આપવામાં વ્યસ્ત બની ગઈ છે. ભાજપે જનતા દળ (યુનાઈટેડ), ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના અને અકાલી દળ જેવા તેના જૂના સાથી પક્ષોને ગુમાવી દીધા છે. પરંતુ શિવસેના શિંદે જૂથ અને અજિત પવારની એનસીપીની સાથે સાથે ઉત્તર પ્રદેશમાંથી ઓપી રાજભર, બિહારમાંથી જીતન રામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહા જેવા નવા સાથી પક્ષોને પોતાની સાથે લાવવામાં સફળ રહી છે. બીજેપી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ પહેલેથી જ તમામ સાથી પક્ષોને એનડીએની બેઠકમાં હાજરી આપવા માટે આમંત્રણ આપી દીધું છે.
NDAની બેઠકમાં 38 પક્ષના નેતા હાજરી આપશેઃ ભાજપ અધ્યક્ષ નડ્ડા
બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું છે કે મંગળવારે દિલ્હીમાં યોજાનારી સત્તાધારી NDA ગઠબંધનની બેઠકમાં 38 પક્ષોના નેતાઓ ભાગ લેવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની યોજનાઓ અને નીતિઓની જનતા પર સકારાત્મક અસર થવાને કારણે એનડીએના સાથી પક્ષોમાં ભારે ઉત્સાહ છે.
Advertisement