દિલ્હી: ગુજરાત હાઈકોર્ટે 1 જુલાઈએ મુંબઈ સ્થિત સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડની નિયમિત જામીન અરજી ફગાવી દીધી હતી. એટલું જ નહીં, કોર્ટે તિસ્તા સેતલવાડને તાત્કાલિક સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટના આ નિર્ણય સામે તિસ્તાએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. આ મામલે બુધવારની સુનાવણીમાં તિસ્તાને કોર્ટમાંથી મોટી રાહત મળી છે, કોર્ટે આગામી આદેશ સુધી ધરપકડ પર મનાઈ ફરમાવી છે. હવે આ કેસની આગામી સુનાવણી19 જુલાઈએ થશે.
Advertisement
Advertisement
ત્રણ જજની બેન્ચે કેસની સુનાવણી કરી
સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે તિસ્તા સેતલવાડની જામીન અરજી પર સુનાવણી કરી હતી. સેતલવાડની અરજી પર, કોર્ટે ગુજરાત સરકારને નોટિસ પણ જારી કરી અને સંબંધિત પક્ષોને 15 જુલાઈ સુધીમાં આ મામલે દસ્તાવેજો દાખલ કરવા આદેશ કર્યો હતો. જસ્ટિસ બીઆર ગવઈ, એએસ બોપન્ના અને દીપાંકર દત્તાની વિશેષ બેન્ચે આ મામલે ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો અને આ કેસના અંતિમ નિકાલ માટે સુનાવણી માટે આગામી તારીખ 19 જુલાઈ નક્કી કરી હતી.
એડિશનલ સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટ પાસે સમય માંગ્યો
સોલિસિટર જનરલ તુષાર મહેતા સાથે ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે કેટલાંક દસ્તાવેજોના અનુવાદનું કામ બાકી છે, તેથી સુનાવણી હાલ પુરતી મુલતવી રાખવી જોઈએ. તેના પર કોર્ટે કહ્યું કે અમારા અહીં બેસવાની અસર ત્રણ બેન્ચ પર પડે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે તિસ્તાની અરજી ફગાવી દીધી હતી, તેની નકલ ગુજરાતી ભાષામાં છે અને તેના અનુવાદ માટે સમય માંગવામાં આવ્યો છે.
તિસ્તા સેતલવાડ પર શું છે આરોપ?
તમને જણાવી દઈએ કે સેતલવાડ, નિવૃત્ત ડીજીપી આરબી શ્રીકુમાર અને પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ પર 2002ના ગુજરાત રમખાણો સંબંધિત એક કેસમાં પુરાવા ઘડવાનો અને ષડયંત્ર રચવાનો આરોપ છે. ગુજરાત પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે. જો કે, ગયા વર્ષે 15 જુલાઈએ, તિસ્તા સેતલવાડની જામીન અરજી સામે દાખલ કરવામાં આવેલી SIT એફિડેવિટમાં મોટો ખુલાસો થયો હતો. તિસ્તા અને ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી શ્રીકુમારની નકલી દસ્તાવેજો કરીને કાયદા સાથે છેતરપિંડી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.
Advertisement