આવતીકાલે ભોપાલમાં યોજાનારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો વરસાદની સંભાવનાને કારણે મોકૂફ રાખવામાં આવ્યો છે. આ રોડ શો 500 મીટર લાંબો હતો. હવે પીએમ મોદી ભોપાલમાં માત્ર બે જ કાર્યક્રમમાં હાજરી આપશે. પહેલા તેઓ રાણી કમલાપતિ સ્ટેશનથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે. ત્યાર બાદ તેઓ બૂથ લેવલના મુખ્ય કાર્યકર્તા સંમેલનમાં ભાગ લેવા માટે મોતીલાલ નહેરુ સ્ટેડિયમ જશે. ત્યારબાદ પીએમ મોદી શહડોલ જશે અને વિશાળ જનસભાને સંબોધન કરશે.
Advertisement
Advertisement
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા ભોપાલના લાલ પરેડ ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આવતીકાલે ભારે વરસાદની સંભાવનાને પગલે 27 જૂને વડાપ્રધાન મોદીનો લાલપુર અને પકરિયાનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ હવામાનને ધ્યાનમાં રાખીને પ્રવાસની નવી તારીખ નક્કી કરવામાં આવશે. વડાપ્રધાન મોદીની ભોપાલની મુલાકાત યથાવત છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે મધ્યપ્રદેશની તેમની મુલાકાત દરમિયાન નેશનલ સિકલ સેલ મિશનની શરૂઆત કરશે. ખાસ કરીને દેશના 17 રાજ્યોમાં રહેતા 7 કરોડથી વધુ આદિવાસી ભાઈ-બહેનોમાં સિકલ સેલ જોવા મળે છે. દેશ આઝાદીની શતાબ્દીની ઉજવણી કરી રહ્યો હોય ત્યાં સુધીમાં દેશને સિકલસેલ મુક્ત બનાવવા માટે આ કાર્યક્રમ અંતર્ગત તમામ આદિવાસી ભાઈ-બહેનોનું સ્ક્રિનિંગ કરવામાં આવશે. તેનાથી ભવિષ્યમાં સિકલ સેલને વધતો અટકાવવામાં આવશે. આવતીકાલે વડાપ્રધાન એક કરોડથી વધુ લોકોને આયુષ્માન ભારત યોજનાના કાર્ડ પણ આપશે.
અગાઉ પણ રોડ શો રદ કરાયો હતો
પીએમઓએ અગાઉ પણ તેમનો રોડ શો પણ રદ કરી દીધો હતો. વડાપ્રધાન મોદીએ આ અગાઉ એપ્રિલ મહિનામાં મધ્યપ્રદેશની મુલાકાત લીધી હતી. મહિનાના પહેલા સપ્તાહમાં પીએમ મોદી રાજધાની ભોપાલ પહોંચ્યા હતા. આ દરમિયાન કુશાભાઉ ઠાકરે કન્વેન્શન સેન્ટરથી આરકેએમપી સ્ટેશન સુધી તેમનો રોડ શો સૂચિત કરાયો હતો. જોકે, સમયપત્રકમાં અચાનક ફેરફાર કરવામાં આવ્યો હતો. જેના પછી પીએમ મોદીનો રોડ શો રદ કરવામાં આવ્યો હતો.
Advertisement