ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનોની એકબીજા સાથે ટક્કરથી એક ભયાનક અકસ્માત થયો છે, જેમાં અત્યાર સુધીમાં 238 લોકોના મોત થયા છે, જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ટ્રેન દુર્ઘટના બાદ જ્યાં રાજકીય પક્ષો અને રાજકીય નેતાઓ દુર્ઘટના પર શોક વ્યક્ત કરી રહ્યા છે, તો બીજી તરફ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. રાજકીય પક્ષોએ તેમના રાજીનામાની માંગણી શરૂ કરી દીધી છે. પશ્ચિમ બંગાળમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ, એનસીપી, સીપીઆઈ સહિતના રાજકીય પક્ષો સાથે સંકળાયેલા નેતાઓએ રેલવે મંત્રીના રાજીનામાની માંગ કરી છે.
Advertisement
Advertisement
ટીએમસીએ આ વાત કરી
પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસે ગઈકાલે પડોશી રાજ્ય ઓડિશામાં થયેલી ગમખ્વાર ત્રિપલ ટ્રેન દુર્ઘટનાને લઈને રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવના રાજીનામાની માંગ કરી છે. ટીએમસીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વંદે ભારત ટ્રેનો અને નવા બનેલા રેલવે સ્ટેશનો વિશે લોકોને ગેરમાર્ગે દોરીને રાજકીય સમર્થન મેળવવાનો દાવો કરી રહી છે, પરંતુ સુરક્ષાના પગલાંની અવગણના કરી રહી છે.
સરકારનું ધ્યાન માત્ર લક્ઝરી ટ્રેનો પરઃ સીપીઆઈ સાંસદ
સીપીઆઈ સાંસદે આક્ષેપ કર્યો હતો કે સરકાર માત્ર લક્ઝરી ટ્રેનો પર ધ્યાન આપી રહી છે. સાંસદ બિનોય વિશ્વમે કહ્યું છે કે, ‘સરકારનું ધ્યાન માત્ર લક્ઝરી ટ્રેનો પર છે. સામાન્ય લોકોની ટ્રેનો અને ટ્રેકની સતત ઉપેક્ષા કરવામાં આવી રહી છે, ઓડિશામાં થયેલાં મૃત્યુ તેનું પરિણામ છે. આ ઉપરાંત, તેમણે કહ્યું કે રેલવે મંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ.
આ દુર્ઘટના વિશે મીડિયા સાથે વાતચીત કરતાં NCP નેતા અજિત પવારે કહ્યું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે, રેલવે વિભાગે તેની તપાસ કરવી જોઈએ અને દોષિતો સામે પગલાં લેવા જોઈએ. રેલવેએ મુસાફરોના જીવને મહત્વ આપવું જોઈએ. પહેલા રેલવે મંત્રી આવા રેલ્વે અકસ્માતો વખતે રાજીનામું આપી દેતા હતા, પરંતુ હવે કોઈ બોલવા તૈયાર નથી.
Advertisement