ભારતમાં એક ઐતિહાસિક ઘટના એવી ઘટી રહી છે કે તે સૌને આશ્ચર્યમાં નાંખી દે. ભારતીય એક જૈન મુનિ લાહોરના મ્યુઝિયમમાં જઈને આત્મારામ મહારાજની પાદુકાઓના દર્શન કરવા ખાસ પાકિસ્તાનમાં પગપાળા જઈ રહ્યા છે.
Advertisement
Advertisement
આજે પણ ત્રાસવાદથી ગ્રસ્ત એવું પાકિસ્તાન અસુરક્ષિત મનાય છે. પરંતુ આજે જૈન વલ્લભ સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસૂરીજીએ લાહોરની પગપાળા યાત્રા કરવાનો નિર્ણય લીધો હતો. જે સંદર્ભે તેમને ત્યાંના વિઝા પણ મળ્યા હતા. પાકિસ્તાન સરકારે ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસૂરીજીની લાગણીને માન આપીને તેમને વિઝા અને સુરક્ષા પૂરી પાડી છે.
આજે તેઓ અટ્ટારી બોર્ડરથી લાહોર જવા રવાના થયા છે. આપણે સૌ જાણીએ છીએ એમ એક જૈન સાધુ વિના ચપ્પલે પગે ચાલીને જ તિર્થાટન કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના અનેક શહેરોમાં આજે પણ હિન્દુ મંદિરોની જેમ જૈન મંદિરો અને બૌદ્ધ ગૂફાઓ મોજૂદ છે. કેટલાંક પાકિસ્તાન પૂરાતત્ત્વ વિભાગ દ્વારા સાચવવામાં પણ આવ્યા છે.
લાહોરના મ્યુઝિયમમાં જૈન મુનિ આત્મારામ મહારાજની ચરણ પાદુકાઓને સાચવવામાં આવી હોવાથી તેના દર્શન માટે આચાર્ય ધર્મધુરંધરસૂરીજીએ સંકલ્પ કર્યો હતો અને તે માટે તેમણે વિઝા અરજી કરી હતી. જે પાકિસ્તાન સરકારે માન્ય રાખતા તેઓ અટ્ટારી વાઘા બોર્ડરથી ચાલતા લાહોર જવાનું નક્કી કર્યું.
રાત્રી રોકાણ માટે તેમના માટે લાહોર યુનિવર્સિટીએ રહેવાની વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત તેમને અનુકૂળ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આઝાદી પહેલા લાહોર પાસે આવેલા એક ઉપાશ્રયમાં વલ્લભસૂરીશ્વરજી મહારાજ રહેતા હતા. એ વખતે જ્યારે ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે તેમને ભારત આવવા કહ્યું હતું પરંતુ તેમણે આજીવન ત્યાં જ રહેવાનું નક્કી કર્યું હતું. આજે તેમની ચરણ પાદુકાઓ લાહોરના મ્યુઝિયમમાં સાચવવામાં આવી છે. જેના દર્શન કરીને ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસુરીજી ભારત પરત ફરશે.
Advertisement