કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૨૦- ૨૧ મે ગુજરાતની મુલાકાતે આવશે અને વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ૨૦ મેના રોજ અમદાવાદ-ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અંદાજે રૂપિયા ૩૫૫ કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમિત શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવનાર વિકાસ કાર્યોનું વિવિધ વિસ્તારમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. નારણપુરા વિસ્તારમાં ટીપી-૨૯માં રૂપિયા ૨.૯૩ કરોડના ખર્ચે તૈયાર થયેલા જિમ્નેશિયમ અને લાયબ્રેરીનું લોકાર્પણ કરશે. એએમસી દ્વારા દ્વારા અંદાજે રૂપિયા ૩૦૦.૧૨ કરોડના ખર્ચે એલઆઇજી- ફેઝ-૨ના ગોતા, સાયન્સ સિટીમાં તૈયાર થયેલા ૨૦૦૦ જેટલા આવાસોનો ડ્રો કરશે. થલતેજ ગામમાં રૂપિયા ૫ કરોડના ખર્ચે થલતેજ તળાવ, ચાંદલોડિયા વોર્ડમાં રૂપિયા ૧૭ કરોડના ખર્ચે તૈયાર થનારા ડ્રેનેજ પંપીંગ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરશે. તેમજ ગોતા વોર્ડમાં ૧૮.૪૧ કરોડના ખર્ચે તૈયાર થનાર નવા ફાયર સ્ટેશન અને સ્ટાફ કવાર્ટર્સ, નવા વાડજમાં ૭.૭૫ કરોડના ખર્ચે તૈયાર થનાર રેન બસેરાનું ખાતમુહૂર્ત કરશે.
Advertisement
Advertisement
Advertisement