પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું છે કે કર્ણાટકના સીએમ પદ પર સતત ચાલી રહેલા મંથન વચ્ચે હાઈકમાન્ડ દ્વારા નિર્ણય લઇ લેવામાં આવ્યો છે.
Advertisement
Advertisement
ઘણા મીડિયા અહેવાલોમાં સૂત્રોને ટાંકીને મોડી રાત્રે પુષ્ટિ કરવામાં આવી છે કે કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે સિદ્ધારમૈયાના નામ પર સમજૂતી થઈ છે. જ્યારે ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમ પદ મળશે. જો કે કોંગ્રેસ પક્ષ દ્વારા હજુ સુધી કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી.
પરંતુ આજે સાંજે સાત વાગ્યે ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે આ પછી સીએમના નામની જાહેરાત કરવામાં આવશે. ગુરુવારે સવારે ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા બંને પાર્ટીના નેતા કેસી વેણુગોપાલના ઘરે પહોંચ્યા હતા.
આ દરમિયાન જ્યારે ઇન્ડિયા ટુડેએ ડીકે શિવકુમારને સિદ્ધારમૈયા નવા સીએમ બનવા વિશે પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું, “પાર્ટીના હિતમાં… કેમ નહીં?” ડીકે શિવકુમારના ભાઈ અને લોકસભા સાંસદ ડીકે સુરેશે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં સ્વીકાર્યું છે કે તેમના ભાઈ સીએમ બનવાના નથી.
ડિકે સુરેશે જણાવ્યું કે, “હું સંપૂર્ણ રીતે ખુશ નથી, પરંતુ કર્ણાટકના હિતમાં અમે અમારી પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા માંગીએ છીએ. તેથી જ ડીકે શિવકુમારે સ્વીકારવું પડ્યું. અમે ભવિષ્યમાં જોઈશું હજી ઘણો લાંબો રસ્તો કાપવાનો છે… હું ડીકે શિવકુમાર માટે સીએમ પોસ્ટ ઈચ્છતો હતો પરંતુ તે શક્ય બન્યું નથી. અમે રાહ જોઈશું અને આગળ જોઈશું.
Advertisement