સામાન્ય રીતે સમરમાં વિવિધ એક્ટિવિટી દ્વારા ભૂલકાંઓથી માંડી યુવાઓ ક્રિએટિવ પ્રવૃત્તિઓ કરતા હોય છે પરંતુ અમદાવાદમાં મરાઠી, બંગાળી, કેરેલિયન, પંજાબી, સિંધી સહિતના વિવિધ રાજ્યના લોકો સમર વેકેશનમાં નવી પેઢીને પોતાના રાજ્યની પ્રાદેશિક ભાષા, ડ્રામા, નૃત્યનું નોલેજ મળે તે માટે વિવિધ એક્ટિવિટી કરાવીને કલ્ચર સાથે જોડવાનું કામ કરે છે. અમદાવાદ કેરાલા સમાજના પ્રમુખ સી.ગિરિશને કહ્યું કે, અમદાવાદમાં ઘણાં વર્ષોથી કેરાલા સમાજના લોકો રહે છે. નવી પેઢીને કેરાલાના કલ્ચરલનું નોલેજ ઓછું છે ત્યારે અમે અમારી પ્રાદેશિક મલયાલમ ભાષાનું જ્ઞાાન મળે તે માટે કેરાલા ગવર્નમેન્ટ સાથે મળીને વેકેશનના સમયમાં વિનામૂલ્યે ક્લાસ ચલાવીએ છીએ. અમદાવાદના ૧૩ વિસ્તારમાં એક લાખની આસપાસ કેરાલાના લોકો રહે છે. ઉપરાંત યુવાઓને મોહિની અટ્ટમ અને ઓણમની પ્રેક્ટિસ કરાવીએ છીએ જેનું પરફોર્મન્સ પણ યોજાય છે. આ ઉપરાંત બંગાળ કલ્ચરલ એસોસિએશનના સેક્રેટરી અનંતકુમાર હાજરા કહે છે કે, બાળકોમાં બંગાળી કલ્ચરલના ગુણો ઊજાગર થાય તેવો અમારો પ્રયાસ છે. વેકેશનમાં અમે અમારા બંગાળી કલ્ચરલ એસોસિએશન દ્વારા સમાજના યંગસ્ટર્સને બંગાળી સાહિત્ય, ડાન્સ, નૃત્ય અને સ્પોર્ટ્સ એક્ટિવિટી કરાવીએ છીએ. બંગાળી ભાષાને આજની પેઢી શીખે અને પરિવાર સાથે માતૃભાષામાં વાત કરે તેવો અમારો પ્રયાસ છે. બંગાળી સમાજમાં દુર્ગા પૂજાનું વિશેષ મહત્વ છે આ અંગે અમે સમાજના બાળકોને તજજ્ઞે દ્વારા સપ્તાહમાં બે દિવસ તેનું જ્ઞાાન અપાય છે. બંગાળી સમાજના યુવાનો દિવાળી, નવરાત્રિ ફંક્શનને લઇને બંગાળના જાણીતા નાટકની પ્રેક્ટિસ કરીને સમાજના વિવિધ ફંક્શનમાં પ્રસ્તુતિ કરે છે. તેમજ મહારાષ્ટ્રીયન સમાજના સેક્રેટરી ધવલ વર્તકે પોતાનો પ્રતિભાવ આપતા કહ્યું કે ,મહારાષ્ટ્રીયન સમાજના ઘણાં પરિવારો અમદાવાદમાં સ્થાયી થયા છે. હાલ ઇંગ્લિશનો ક્રેઝ છે ત્યારે અમારી પ્રાદેશિક મરાઠી ભાષાને ટકાવી રાખવા માટે અમે બાળ નાટય શિબિરનું આયોજન કરીએ છીએ. આ બાળ નાટય શિબિરમાં અમે ૫થી ૧૮ વર્ષના બાળકોને જોડીએ છીએ અને સમાજ દ્વારા વિનામૂલ્યે તાલીમ આપવામાં આવે છે. નાટય શિબિરનું આ ચોથું વર્ષ છે અને તેમાં મોટી સંખ્યામાં બાળકો આવે છે. ઉપરાંત સમાજની પરંપરા પ્રમાણેનો પહેરવેશ, શ્લોક, મરાઠી ગીત જેવી બાબતો શીખવીને મહારાષ્ટ્રીયનપરંપરા સાથે જોડવાનું કામ કરીએ છીએ.
Advertisement
Advertisement
Advertisement