ઉપરનું શીર્ષક વાંચીને બે ઘડી પક્ષીપ્રેમીઓને આઘાત લાગી જાય પરંતુ આ અરીસા જેવી સ્પષ્ટ વાત છે. મહારાષ્ટ્ર સરકારના એક મંત્રી ઉદય સામંતે શુક્રવારે વિધાન પરિષદમાં ખુલાસો કર્યો કે, મુંબઈમાં લગભગ નવા સ્થળોએ કબૂતરખાનાઓ (ચણવાની જગ્યા) છે. આ કબૂતરખાનાઓમાં વર્ષોથી કબૂતરોને ચણ નાખવામાં આવે છે અને તેમાંથી કોઈને પણ હેરિટેજનો દરજ્જો મળ્યો નથી કે આવો દરજ્જો આપી શકાય નહીં.
મંત્રી ઉદય સામંતે કહ્યું કે, મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા, જીપીઓ, એન.એસ.રોડ પેટ્રોલ પંપ, ઓગસ્ટક્રાંતિ મેદાન, ગિરગાંવ ચોપાટી, નવજીવન સોસાયટી, મલબાર હિલ, એમ.એસ.અલી રોડ જંક્શન અને દાદરમાં કબૂતરખાના છે અને અહીં ઘણા વર્ષોથી કબૂતરો રહે છે અને ચણે છે.
મુંબઇ મહાનગરપાલિકાના કે.ઈ.એમ. હોસ્પિટલના સેન્ટર ફોર શ્વસન રોગો અને પર્યાવરણીય પ્રદૂષણ સંશોધન દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણમાં કબૂતરોના મળ અને ડ્રોપિંગમાં ફૂગના બીજકણ મળી આવ્યા હતા. જેને કારણે બાહ્ય એલર્જિક એસ્વોલિટિસ થઈ શકે છે.
આ રોગના લક્ષણોમાં ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, ઓક્સિજન લેવલમાં ઘટાડો વગેરે થઈ શકે છે.
ઉદય સામંતે માહિતી આપતા જણાવ્યું કે, છેલ્લા ત્રણ મહિનામાં જાહેર સ્થળોએ પક્ષીઓને ખવડાવી ઉપદ્રવ કરવા બદલ મહાનગરપાલિકા દ્વારા રુપિયા 10 હજારનો દંડ વસૂલવામાં આવ્યો છે.
Advertisement
Advertisement
Advertisement