માસિક શિવરાત્રિના પાવન પર્વ પર સોમનાથ ટ્રસ્ટના પ્રસાદ નિર્માણગૃહ અને ટ્રસ્ટના નિઃશુલ્ક ભોજનાલયના રસોઈઘરમાં ગેસ વિતરણ કંપની IRM એનર્જીએ શ્રી સોમનાથ મંદિર સંકુલમાં પાઈમ નેચરલ ગેસ (PNG) પુરવઠો શરુ કર્યો હતો.
કંપનીએ ટ્રસ્ટના રસોડામાં પાઈપ્ડ નેચરલ ગેસ સપ્લાય શરુ કર્યો છે, જેમાં બે પ્રસાદ બનવાના રસોડા અને નિઃશુલ્ક ભોજનાલય છે જ્યાં યાત્રાળુઓને વિનામૂલ્યે ભોજન ઉપલબ્ધ થાય છે.
સોમનાથ ટ્રસ્ટના તમામ સાત રસોડામાં સમગ્ર આંતરિક ગેસ પાઈપલાઈનની સંપૂર્ણ વ્યવસ્થા સૌજન્યથી કરાઈ છે. સોમનાથ ટ્રસ્ટના પ્રસાદગૃહોની સ્વચ્છતા અને સુચારુ વ્યવસ્થાપન તેમજ ભોજનાલયના રસોઈઘરમાં લોટ ગૂંથવાની મશીન, શાકભાજી સમારવાનું મશીન, રોટલીના તૈયાર લોટના માપસર ટુકડા કરીને તેણે વણીને રોટલી તૈયાર કરવાની મશીન હાલ કાર્યરત છે.
સોમનાથ ટ્રસ્ટના નિઃશુલ્ક ભોજનાલયમાં સરેરાશ પાંચથી છ હજાર લોકો પ્રતિદિન બન્ને સમય ભોજન ગ્રહણ કરે છે. આ ભોજનાલયમાં પ્રતિમાસ 19 કિલોવાળું અને એક એવા 90 કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ થતો હતો. પરંતુ હવે પીએનજીની વ્યવસ્થાથી સુરક્ષિત અને ઓછા ખર્ચમાં ગેસનો સપ્લાય મળી રહેશે.
Advertisement
Advertisement
Advertisement