અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાં દોઢ લાખથી વધુ યુવાનોને રાજ્ય સરકારે સરકારી નોકરી આપી છે. આ વર્ષે રાજ્યસરકાર 25 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરી આપવાની તૈયારીમાં છે. એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જના માધ્યમથી વીતેલા વર્ષોમાં ગુજરાતમાં લગભગ 18 લાખ યુવાઓને રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
Advertisement
Advertisement
રોજગાર મેળાને PM મોદીનું વર્ચ્યુઅલ સંબોધન
વડા પ્રધાન મોદીએ સોમવારે ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજીત રોજગાર મેળાને વર્ચ્યુઅલ સંબોધન કરતાં ઉમેર્યું હતું કે થોડાં જ સમયગાળામાં ગુજરાતમાં બીજી વખત રોજગાર મેળાનું આયોજન થઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર ઉપરાંત હવે એનડીએના શાસન હેઠળના 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સતત રોજગાર મેળા યોજાઈ રહ્યા છે. PM મોદીએ ઉમેર્યું કે ગુજરાત સરકારે તો ભરતી કેલેન્ડર બનાવીને નિશ્ચિત સમયમાં ભરતી પ્રક્રિયા સુનિશ્ચિત કરી છે. ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સમગ્ર ભરતી પ્રક્રિયાને પારદર્શક બનાવવામાં આવી છે. અલગ- અલગ ડિજીટલ પ્લેટફોર્મ જેવા મોબાઈલ એપ અને વેબ પોર્ટલ બનાવવામાં આવી રહ્યા છે.
PM મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકારે પણપ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર સર્જન માટે નક્કર વ્યૂહનીતિ પર કામ કર્યું છે. અમારું વિશેષ ધ્યાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ યોજનાઓની સાથે સાથે મેન્યુફેક્ચરિંગના માધ્યમથી વધુમાં વધુ રોજગાર ઉભાં કરવાનો છે.
ભારત બનશે મેન્યુફેક્ચરિંગ હબઃ ગુજરાતની મહત્ત્વની ભૂમિકા
PM મોદીએ કહ્યું કે દુનિયાભરના નિષ્ણાતો માને છે કે આગામી વર્ષોમાં ભારત સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ બનશે. તેમાં ગુજરાતની ભૂમિકા મહત્ત્વની છે. ગુજરાતના આદિવાસી બહુમતી વિસ્તાર દાહોદમાં રૂ.20,000 કરોડના રોકાણ સાથે રેલવે એન્જિન ફેક્ટરી બની રહી છે. ગુજરાત સેમીકંડક્ટરનું પણ મોટું હબ બનવા જઈ રહ્યું છે. તેમાં પણહજારો નવી તકો ઉભી થશે. ગુજરાતમાં હાલ 600 આઈટીઆઈ છે જેમાં 2 લાખ સીટો છે. તેમાં ઉદ્યોગોની જરૂરિયાત પ્રમાણે અલગ-અલગ સ્કીલની ટ્રેનિંગ અપાઈ રહી છે.
Advertisement