ગાંધીનગર: દુષ્કર્મ કેસમાં આસારામને ગાંધીનગર સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. સુરતની મહિલાએ આસારામ સામે દુષ્કર્મ કેસ કર્યો હતો. પીડિતાને 50 હજાર રૂપિયા વળતર આપવાનો હુકમ કોર્ટે કર્યો છે.
Advertisement
Advertisement
આસારામ સામે કઇ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો
ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આસારામને 376 (2), C, 377, 354, 342, 357, 506 (2) કલમ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ કેસના અન્ય 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. સ્પેશ્યલ સરકારી વકીલ આર.સી. કોડેકરે કહ્યુ કે આ કેસમાં દોષિતને મહત્તમ સજા થાય તે માટે અમે કોર્ટમાં પ્રયાસ કરીશું.
માલીશ કરવાના બહાને આસારામે દુષ્કર્મ આચર્યુ હતુ
સુરતની મહિલા સાથે આસારામે બળાત્કાર ગુજાર્યો હતો અને આટલી મોટી વ્યક્તિ સામે ફરિયાદની હિંમત ચાલી નહતી ત્યારે વર્ષ 2013માં આસારામની જોધપુર પોલીસે અન્ય કેસમાં ધરપકડ કર્યા બાદ મહિલાની હિંમત ખુલી હતી અને તેણે ફરિયાદ નોંધાવી હતી. વર્ષ 1996માં ગુરૂપૂર્ણિમા આવતી હતી તે વખતે આસારામે તેને ભક્તા તરીકે પસંદ કરી હતી અને ત્યારબાદ શાંતિવાટીકામાં બોલાવી હતી જ્યા અન્ય સહાયકો તેને લઇ ગયા હતા. આસારામ હાથ-પગ ધોઇને તેણીને અંદર બોલાવી માલીશ કરવા કહ્યુ હતુ. જોકે, આસારામે આ મહિલા સાથે શારીરિક અડપલા શરૂ કર્યા હતા જેથી તેણીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આસારામે કહ્યુ કે, જીતના જલ્દ સમર્પણ કરોગી ઉતના હી આગે બઢોગી…તેમ કહીને કપડા ઉતારીને બળાત્કાર ગુજાર્યો હતો અને આ અંગે કોઇને જાણ કરી તો ભષ્મ કરી દેવાની ધમકી પણ આપી હતી.
Advertisement