ગાંધીનગર: ભારતના જાણીતા આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનું અમદાવાદમાં 95 વર્ષી વયે નિધન થયુ છે.થલતેજમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ભારતના પ્રથમ આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીએ સાત દાયકાની કરિયરમાં 100થી વધુ પ્રોજેક્ટને પૂર્ણ કર્યા છે જેમાં ભારતમાં સ્થિત સાર્વજનિક સંસ્થા જેવી કે સ્કૂલ, લાઇબ્રેરી, કલા કેન્દ્ર અને ઓછા ખર્ચના મકાન સામેલ છે.
Advertisement
Advertisement
બાલકૃષ્ણ દોશી કોણ હતા?
બાલકૃષ્ણનો જન્મ 26 ઓગસ્ટ, 1927માં પૂણેમાં થયો હતો. બાલકૃષ્ણ દોશીના દાદા પાસે એક ફર્નીચર વર્કશૉપ હતી અને દોશીને શરૂઆતમાં વિશ્વાસ હતો કે તે તેમાં જ કરિયર બનાવશે. જોકે, બી.વી.દોશીને આર્કિટેક્ટમાં રસ પડ્યો હતો અને 1947માં સર જે.જે. બૉમ્બેમાં સ્કૂલ ઓફ આર્કિટેક્ચરમાં એડમિશન લીધુ હતુ. 1950માં તેમણે લંડનની મુસાફરી કરી હતી જ્યા તેમની મુલાકાત લી કૉર્બૂસિયર સાથે થઇ હતી અને આગામી ચાર વર્ષ સુધી બી.વી. દોશીએ પેરિસમાં જાણીતા વાસ્તુકાર સ્ટૂડિયોમાં કામ કર્યુ.
લે કૉર્બૂસિયરના કેટલાક પ્રોજેક્ટના નિર્માણની દેખરેખ માટે ભારત પરત આવ્યા હતા જેમાં મિલ ઓનર્સ એસોસિએશન બિલ્ડિંગ (1954) અને અમદાવાદમાં વિલા સારાભાઇ (1955) સામેલ છે. તે અમદાવાદમાં જ વસી ગયા જ્યા તેમણે પત્નીના નામ પર કમલા હાઉસ નામનું પોતાનું ઘર (1963)માં ડિઝાઇન કર્યુ હતુ. 1956માં બી.વી દોશીએ પોતાનો ખુદનો અભ્યાસ વાસ્તુશિલ્પની સ્થાપના કરી હતી જે પછી તેમણે વાસ્તુશિલ્પ કંસલ્ટન્ટનું નામ આપ્યુ. ફર્મે આખા ભારતમાં 100થી વધુ પરિયોજનાઓ પર કામ કર્યુ, જેમાં અમદાવાદ IIM 1962 સામેલ છે.
અનેક એવોર્ડથી થયા સમ્માનિત
બી.વી. દોશી રોયલ ઇંસ્ટીટ્યૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક્સના ફેલો છે અને પ્રિત્જકર એવોર્ડ, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર અને આર્કિટેક્ચર માટે આગા ખાન એવોર્ડ માટે પસંદગી સમિતીમાં રહ્યા છે. તે ઇન્ડિયન ઇંસ્ટીટ્યૂટ ઓફ આર્કિટેક્સના ફેલો પણ છે. પોતાના અભ્યાસના માધ્યમથી ભારતીય અને અંગ્રેજી વિરાસતના પુનમિર્લિન પર દોશીના કામને 2007માં ગ્લોબલ એવોર્ડ ફોર સસ્ટેનેબલ આર્કિટેક્ચરથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
બી.વી. દોશીએ IIM અમદાવાદ ઉપરાંત અમદાવાદમાં શ્રેયસ સ્કૂલ, સેપ્ટ યૂનિવર્સિટી, અટીરા ગેસ્ટ હાઉસ, પ્રેમાભાઇ હોલ, ટાગોર હોલ, અમદાવાદની ગુફા, કનેરિયા સેન્ટર ફોર આર્ટ્સ વગેરે ડિઝાઇન કરી હતી.
Advertisement